પ્રિયંકા ગાંધીની તબિયત લથડી, નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા


  • Published By :
  • Published Date : 2024-02-19 19:21:48

કોંગ્રેસના અગ્રણી નેતા પ્રિયંકા ગાંધીની તબિયત લથડતા તેમને સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI દ્વારા સુત્રોને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ડિહાઈડ્રેશન અને પેટમાં ઈન્ફેક્શનનાં કારણે પ્રિયંકા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ઈલાજ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. 


16 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કર્યું હતું


આ અગાઉ પ્રિયંકા ગાંધીએ 16 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કર્યું હતું કે બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હોવાની જાણકારી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે "હું ખૂબ જ આતુરતાથી ઉત્તર પ્રદેશમાં ભારત જોડા ન્યાય યાત્રાના પહોંચવાની રાહ જોઈ રહી હતી. પરંતું બિમારીના કારણે મારે આજે જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, સાજી થતાં જ હું ફરીથી યાત્રામાં જોડાઈ જઈશ. અત્યાર સુધી ચંદોલી-બનારસ પહોંચેલા તમામ યાત્રિકો, સપુર્ણ તાકાતથી યાત્રાની તૈયારીમાં લાગી જાઓ, ઉત્તર પ્રદેશમાં મારા સહયોગી અને વ્હાલા ભાઈઓને શુભકામનાઓ પાઠવું છું". 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.