પ્રિયંકા ગાંધીની તબિયત લથડી, નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા


  • Published By :
  • Published Date : 2024-02-19 19:21:48

કોંગ્રેસના અગ્રણી નેતા પ્રિયંકા ગાંધીની તબિયત લથડતા તેમને સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI દ્વારા સુત્રોને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ડિહાઈડ્રેશન અને પેટમાં ઈન્ફેક્શનનાં કારણે પ્રિયંકા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ઈલાજ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. 


16 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કર્યું હતું


આ અગાઉ પ્રિયંકા ગાંધીએ 16 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કર્યું હતું કે બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હોવાની જાણકારી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે "હું ખૂબ જ આતુરતાથી ઉત્તર પ્રદેશમાં ભારત જોડા ન્યાય યાત્રાના પહોંચવાની રાહ જોઈ રહી હતી. પરંતું બિમારીના કારણે મારે આજે જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, સાજી થતાં જ હું ફરીથી યાત્રામાં જોડાઈ જઈશ. અત્યાર સુધી ચંદોલી-બનારસ પહોંચેલા તમામ યાત્રિકો, સપુર્ણ તાકાતથી યાત્રાની તૈયારીમાં લાગી જાઓ, ઉત્તર પ્રદેશમાં મારા સહયોગી અને વ્હાલા ભાઈઓને શુભકામનાઓ પાઠવું છું". 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે