'આ દેશના PM કાયર છે, મારા પર કેસ કરો, મને જેલમાં નાખી દો', પ્રીયંકાના મોદી સરકાર પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-03-26 12:58:54

દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર કોંગ્રેસના સત્યાગ્રહમાં પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે સંસદમાં મારા શહીદ પિતાનું અપમાન થાય છે ત્યાં શહીદ વડાપ્રધાનના પુત્રને મીર જાફર કહેવામાં આવે છે. મારા આખા પરિવારનું અપમાન થાય છે, સમગ્ર કાશ્મીરી સમાજના રિવાજોનું અપમાન થાય છે, પરંતુ આ પછી પણ તેમની સામે કોઈ કેસ નથી થતો. એ ચિત્ર આજે પણ મારા મગજમાં છે. મારા પિતાનો મૃતદેહ આ ત્રિરંગામાં લપેટાયેલો હતો. તેની પાછળ ચાલતો-ચાલતો મારો ભાઈ અહીં સુધી આવ્યો હતો. 


સંસદમાં પરિવારનું અપમાન


તેમણે સંસદમાં નહેરૂ-ગાંધી પર થતા અપમાન અંગે પણ સરકાર પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું સંસદમાં શહીદના પિતાનું સંસદમાં અપમાન થાય છે. તમે શહીદના પુત્રને દેશદ્રોહી કહો છો અને મીર જાફર કહો છો. તેની માતાનું અપમાન કરો છો. તમારા (કેન્દ્ર સરકારના) મંત્રીઓ સંસદમાં મારી માતાનું અપમાન કરો છો, એક મંત્રી કહે છે કે રાહુલ ગાંધીને ખબર નથી કે તેમના પિતા કોણ છે?


32 વર્ષ જૂની ઘટના યાદ કરી


પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'મને 32 વર્ષ જૂની ઘટના યાદ આવી, મે 1991ની વાત. મારા પિતાની અંતિમયાત્રા તીન મૂર્તિ ભવનથી નીકળી રહી હતી. હું મારી માતા અને ભાઈ સાથે કારમાં બેઠી હતી, સામે ભારતીય સેનાની એક ટ્રક હતી. જેમાં ફૂલોથી લદાયેલી તે ટ્રક હતી, તેના પર મારા પિતાની લાશ હતી. કાફલો થોડીવાર ચાલ્યો, પછી રાહુલ કહેવા લાગ્યો કે મારે નીચે ઉતરવું છે. માતાએ ના પાડી. રાહુલે આગ્રહ કર્યો, મેં કહ્યું તેને નીચે ઉતરવા દો. રાહુલ કારમાંથી નીચે ઉતર્યો અને આર્મી ટ્રકની પાછળ ચાલવા લાગ્યો. ધોમધખતા તડકામાં ત્રણ મૂર્તિથી લઈને પિતાની અંતિમયાત્રાની પાછળ ચાલીને અહીં પહોંચ્યો. આ સ્થળથી 400-500 મીટર દૂર... મારા ભાઈએ મારા શહીદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા.


PM પર કર્યા જોરદાર પ્રહાર


પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, 'આ દેશના વડાપ્રધાન કાયર છે, મારા પર કેસ કરો, મને જેલમાં નાખો... હું ડરતી નથી. પરંતુ સત્ય એ છે કે દેશના વડાપ્રધાન કાયર છે. પોતાની સત્તાની તાકાત પાછળ છુપાયેલો છે. તે ઘમંડી છે અને આ દેશની બહુ જૂની પરંપરા છે, હિંદુ ધર્મની જૂની પરંપરા છે કે અહંકારી રાજાને જનતા જવાબ આપે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.