પ્રિયંકા ગાંધી રાયબરેલીથી બન્યા કોંગ્રેસના ઉમેદવાર, BJP કોને ઉતારશે મેદાનમાં? આ બે નામ છે ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2024-02-16 16:10:05

ઉત્તર પ્રદેશના રાયબબરેલીમાં લોકસભા ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધી હવે રાજ્ય સભા દ્વારા તેમની રાજનીતિ કરશે. તેમણે રાજસ્થાનથી રાજ્યસભા ઉમેદવાર તરીકે તેમનું નામાંકન પણ ભરી દીધું છે. હવે સોનિયા ગાંધીના બદલે તેમની પુત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલીથી કોંગ્રેસ ઉમેદવાર બની શકે છે. રાયબરેલીમાં ગાંધી પરિવારના વારસાને સંભાળવાની જવાબદારી હવે પ્રિયંકા પર આવી છે.  



કોણ હશે બિજેપીનો ઉમેદવાર


પ્રિયંકા ગાંધીની ઉમેદવારી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપ રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીની સામે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારી શકે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્મૃતિ ઈરાની છેલ્લા ઘણા સમયથી અમેઠીની સાથે-સાથે રાયબરેલીમાં સક્રિય રહી છે. તેથી સ્મતિ ઈરાનીની શક્યતા વધુ જણાઈ રહી છે. 

Image

અદિતી સિંહના નામની પણ ચર્ચા


કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલી અદિતી સિંહ પણ રાયબરેલીમાં પ્રિયંકાને પડકાર આપી શકે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન અદિતી સિંહે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને જીત મેળવી હતી. ત્યારે પણ તેમણે પ્રિયંકાને રાયબરેલીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. આ સ્થિતીમાં ભાજપ બીજા વિકલ્પ તરીકે અદિતી સિંહને રાયબરેલી લોકસભા સીટ માટે ટિકિટ આપી શકે છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.