જંતર-મંતર ખાતે ધરણા કરી રહેલા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી, પહેલવાનો WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કરી રહ્યા છે ધરણા!


  • Published By :
  • Published Date : 2023-04-29 10:14:18

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધણા સમયથી ધરણ કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી તેમની માગ હતી. પોલીસે કેસ દાખલ ન કરતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. જે બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી ધરણા કરી રહેલા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા સહિત ધરણા કરી રહેલા કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. ધરણા સ્થળ પર અડધો કલાક જેટલો સમય વીતાવ્યો હતો.

  


FIR થયા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે આપી પ્રતિક્રિયા! 

કુસ્તીબાજો દ્વારા છેલ્લા સાત દિવસથી ધરણા કરવામાં આવી રહ્યા છે. WFIના અધ્યક્ષ અને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. પોલીસ દ્વારા WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ પ્રકારની ફરિયાદ નોંધવામાં ન આવતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ વિરૂદ્ધ બે કેસ નોંધ્યા છે. શુક્રવાર મોડી રાત્રે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજ ભૂષણ વિરૂદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે બ્રિજભૂષણ શરણ સિંહએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ધરણાં પર બેઠેલા રેસલર્સ મારા રાજીનામાંથી માની જશે, તો હું રાજીનામું આપી દઈશ. પરંતુ એક ગુનેગાર બનીને નહીં. હવે તેઓ કહેશે કે તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તેમના રાજીનામાથી શું થશે. જો આ ખેલાડીઓ વિરોધ ખતમ કરીને ઘરે પાછા જાય, પ્રેક્ટિસ શરૂ કરે, તો હું તેમને રાજીનામું મોકલી દઈશ. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને મળવા જંતર મંતર પહોંચ્યા હતા. ધરણા સ્થળ પર પહોંચ્યા બાદ પ્રિયંકા ગાંધીએ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથે વાતચીત કરી હતી.  


કુસ્તીબાજોએ લગાવ્યો ગંભીર આરોપ!

રેસલર બજરંગ પુનિયાએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસ હેરાન કરી રહી છે. રાત્રે ભોજન કરતી વખતે વીજળી કાપી નાખી હતી. ત્યાં ઉભેલા પાણીના ટેન્કરો પણ લઈ લેવામાં  આવ્યા હતા. પોલીસ દ્વારા જાહેર શૌચાલયને પણ અન્ય સ્થળે મોકલવામાં આવ્યા હતા. કુસ્તીબાજનો આરોપ છે કે જ્યારે બજરંગે આ અંગે એસીપીને કોલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે જે કરવું હોય કરી લો, હવે તો આવું જ થશે. સાથે જ કહ્યું કે કેસ નોંધાઈ ગયો છે, હવે વિરોધ પૂરો કરો. પોલીસે ધરણાસ્થળની ચારેય બાજુથી બેરિકેટ્સ લગાવીને ખેલાડીઓને નજરકેદ કર્યા છે.   

 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!