ખાનગી એરલાઈન કંપનીઓની ઉખાડી લૂંટનો પર્દાફાશ, સંસદીય સમિતિએ સરકાર સમક્ષ કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-03-24 18:01:43

ખાનગી એરસાઈન્સ કંપનીઓ વિવિધ પ્રકારે યાત્રિકોની લૂંટ ચલાવે છે, સાંસદોની બનેલી એક સંસદીય સમિતિએ પણ એરલાઈન્સ કંપનીઓની આ ઉઘાડી લૂંટનો સ્વીકાર કર્યો છે અને સરકારને તેમની સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. 


કંપનીઓ આપે છે ખોટી જાણકારી


સાંસદોની બનેલી સંસદીય સમિતિએ તેની રિપોર્ટમાં કહ્યું છે કે ખાનગી એરલાઈન્સ કંપનીઓ તેમની વેબસાઈટમાં વિમાનમાં ઉપલબ્ધ સીટો અને ટિકિટના ભાડા અંગે ખોટી જાણકારી આપી લોકોને ગેરમાર્ગે દોરે છે, અને વધુ ભાડૂં ચૂકવવા માટે મજબુર કરી રહી છે. સમિતિની રિપોર્ટ મુજબ 6 માર્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અનુદાનની માગને લઈને સોંપવામાં આવેલી રિપોર્ટમાં સંસદીય સમિતિએ ડોમિસ્ટિક એરલાઈન્સ દ્વારા વસૂલવામાં આવેલા ઉંચા ભાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ કહ્યું કે ખાનગી એરલાઈન્સ તેમની વેબસાઈટ પર ફ્લાઈટમાં બચેલી સીટોની સંખ્યા અને ટિકિટોની કિંમતો અંગે ખોટી જાણકારી પ્રકાશિત કરે છે.


ગાઈડલાઈન્સ તૈયાર કરવાની માંગ કરી 


રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, "ખોટી માહિતીના સ્તરનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે છેલ્લી ટિકિટ વેચાઈ ગયા પછી પણ, વેબસાઈટ એટલી જ સીટો બતાવી રહી છે જેટલી ટિકિટના વેચાણ પહેલા જાહેર કરવામાં આવી હતી." આ દર્શાવે છે કે એરલાઇન ઓપરેટરો લોકોને ગેરમાર્ગે દોરે છે અને મુસાફરોને વધુ પૈસા ચૂકવવા મજબુર કરે છે.


તેથી, સમિતિએ ભલામણ કરી હતી કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવાઈ ભાડાને તર્કસંગત બનાવવા માટે યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરે અને એરલાઈન્સ માટે તેમની વેબસાઈટ પર સાચી માહિતી પ્રકાશિત કરવાનું ફરજિયાત બનાવે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.