વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવાશે વડાપ્રધાનનો જન્મ દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 10:06:29

દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પોતાના નિર્ણયોને કારણે વડાપ્રધાન મોદીએ દેશમાં જ નહિં પરંતુ દુનિયાભરના લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. ત્યારે વડાપ્રધાન મોદીના 72માં જન્મદિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. દેશભરમાં તેમજ ગુજરાતમાં તેમના જન્મદિવસને લઈ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.

વિવિધ કાર્યક્રમોનું કરાયું છે આયોજન

વિવિધ સેવાકીય કાર્યો દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. આજથી લઈ 2 ઓકટોબર સુધી તેમના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવશે.  સમગ્ર ભારતમાં સેવા પખવાડીયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેમાં આજે બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Blood donation camp at Raj Bhavan today

બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન

નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 579 મંડલમાં બલ્ડ ડોનેશન કેમ્પ યોજાવાના છે. ઉપરાંત નરેન્દ્ર મોદીના જુદા- જુદા પેઈન્ટિંગનું પ્રદર્શન રવિશંકર આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. દુબઈના ચિત્રકાર દ્વારા બનાવામાં આવેલા પેઈન્ટિંગ પ્રદર્શન રાખ્વામાં આવ્યું છે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લુ મુકાશે. આ પ્રદર્શન અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટ ખાતે પણ રાખવામાં આવશે. ઉપરાંત અનેક સરકારી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવશે. બ્લડ ડોનેશન કેમ્પ થકી વિશ્વ રેકોર્ડ બનાવામાં આવશે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.