સતત બે દિવસમાં પ્રધાનમંત્રીના આપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 14:05:13

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક મોટા નેતાઓને ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે. આ બે દિવસ તેમણે આમ આદમી પાર્ટીના નામ લીધા વગર તેમને પર પ્રહારો કર્યા હતા. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી વિશે અર્બન નક્સલની કમેન્ટ કરી હતી જ્યારે આજે તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર ભ્રષ્ટાચાર ખતમ કરવા કાર્યવાહી કરી રહી છે ત્યારે લોકો તેમના પર મેણા-ટોંણા મારી રહ્યા છે. 


પ્રધાનમંત્રીએ નામ લીધા વગર આપ પર કર્યા પ્રહાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામકંડોરણામાં વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર સામે કારયવાહી કરવા જઈએ છીએ તો લોકો અમારા પર સરકારી સંસ્થાઓનો ઉપયોગ કરવાના આક્ષેપો કરી રહ્યા છે. કદ્દાવર પાટીદાર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાને તેમણે યાદ કર્યા હતા. તેમણે લોકોને સવાલ કર્યા હતા કે હું ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરું કે નહીં. ભ્રષ્ટાચાર નિવારણનું કામ થવું જોઈએ કે ના થવું જોઈએ.  


મને ગાળો આપવા કોંગ્રેસે પાર્ટી આઉટસોર્સ કરીઃ મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કોંગ્રેસ પર ખુલેઆમ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ કંઈ બોલતી નથી પણ ચોરી-ચોરી ગામડાઓમાં ગુપ્ત બેઠકો કરી રહી છે. કોંગ્રેસ લોકો પાસે એક મોકો માગી રહી છે અને લોકોને નમન કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આનાથી સતર્ક રહેવું જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે આજ વખતો મોટું સેટિંગ કર્યું છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજ વખતે અમને ગાળો આપવા માટેનું કામ પણ આઉટસોર્સ કરવામાં આવ્યું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટનું નામ નથી લીધું, પણ આપ પર તંજ કસ્યા હતા. 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.