સતત બે દિવસમાં પ્રધાનમંત્રીના આપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 14:05:13

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક મોટા નેતાઓને ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે. આ બે દિવસ તેમણે આમ આદમી પાર્ટીના નામ લીધા વગર તેમને પર પ્રહારો કર્યા હતા. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી વિશે અર્બન નક્સલની કમેન્ટ કરી હતી જ્યારે આજે તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર ભ્રષ્ટાચાર ખતમ કરવા કાર્યવાહી કરી રહી છે ત્યારે લોકો તેમના પર મેણા-ટોંણા મારી રહ્યા છે. 


પ્રધાનમંત્રીએ નામ લીધા વગર આપ પર કર્યા પ્રહાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામકંડોરણામાં વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર સામે કારયવાહી કરવા જઈએ છીએ તો લોકો અમારા પર સરકારી સંસ્થાઓનો ઉપયોગ કરવાના આક્ષેપો કરી રહ્યા છે. કદ્દાવર પાટીદાર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાને તેમણે યાદ કર્યા હતા. તેમણે લોકોને સવાલ કર્યા હતા કે હું ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરું કે નહીં. ભ્રષ્ટાચાર નિવારણનું કામ થવું જોઈએ કે ના થવું જોઈએ.  


મને ગાળો આપવા કોંગ્રેસે પાર્ટી આઉટસોર્સ કરીઃ મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કોંગ્રેસ પર ખુલેઆમ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ કંઈ બોલતી નથી પણ ચોરી-ચોરી ગામડાઓમાં ગુપ્ત બેઠકો કરી રહી છે. કોંગ્રેસ લોકો પાસે એક મોકો માગી રહી છે અને લોકોને નમન કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આનાથી સતર્ક રહેવું જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે આજ વખતો મોટું સેટિંગ કર્યું છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજ વખતે અમને ગાળો આપવા માટેનું કામ પણ આઉટસોર્સ કરવામાં આવ્યું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટનું નામ નથી લીધું, પણ આપ પર તંજ કસ્યા હતા. 




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.