પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 16:59:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા સમયની જ વાર છે એવામાં ગુજરાતની ચૂંટણી સમયની હવા પલટવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. એવામાં નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મહેસાણા જિલ્લાના મોઢેરાના મંદિર ખાતે મા મોઢેશ્વરીના દર્શન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે ડેરીમાં પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ બહુચરાજીમાં પ્રધાનમંત્રી મોદી જનસભા સંબોધશે. 


અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને અંબાજીની મુલાકાત લીધી હતી. ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી 11 ઓક્ટોબર બાદ પણ બેવાર ગુજરાત પ્રવાસે આવશે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.