પ્રધાનમંત્રીની ચિંતન શિબિર આ કારણથી છે ખાસ


  • Published By :
  • Published Date : 2022-10-26 21:51:24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરે સવારે સાડા દસ કલાકે વીડિયો કોન્ફરન્સથી રાજ્યોના ગૃહમંત્રીઓ સાથે ચિંતન શીબીર સંબોધશે. ચિંતન શીબીર 27 અને 28 ઓક્ટોબરના રોજ હરિયાણાના સુરજકુંડ ખાતે યોજાશે. 


ચિંતન શિબિરમાં કોણ હાજર રહેશે?

હરિયાણાના સુરજકુંડમાં યોજનાર ચિંતન શીબીરમાં રાજ્યોમાં ગૃહમંત્રીઓ, ગૃહ સચિવો, રાજ્યોના પોલીસ વડા, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના મહાનિર્દેશકો હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ લોકોને વીડિયો કોન્ફરન્સથી સંબોધશે. 


શા માટે યોજવામાં આવશે ચિંતન શિબિર?

ચિંતન શીબીર દેશની આંતરિક સુરક્ષા સંબંધિત બાબતો પર નીતિ ઘડતર માટે યોજવામાં આવે છે. ચિંતન શીબીરમાં રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સહકારી સંઘવાદની ભાવનામાં આવેલી શીબીર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંવાદ થાય તેના માટે પણ કામ કરે છે. આ શિબિર પોલીસ દળોના આધુનિકીકરણ, સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ, ફોજદારી ન્યાય પ્રણાલીમાં આઈટીનો વધતો ઉપયોગ, ભૂમિ સરહદ વ્યવસ્થાપન, દરિયાકાંઠાની સુરક્ષા, મહિલા સુરક્ષા, ડ્રગ હેરફેર વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.