રાજસ્થાનમાં પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનથી દિલ્હી સુધી ટ્રેન કરાઈ શરૂ


  • Published By :
  • Published Date : 2023-04-12 09:58:27

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન દોડી રહી છે. થોડા સમય પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા ત્યારે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી હતી. ત્યારે આજે રાજસ્થાનને પ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. પીએમ મોદી આજે ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. દિલ્હીથી પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાવાના છે. નવી દિલ્હીથી પીએમ મોદી રાજસ્થાનની વંદે ભારત ટ્રેનનું ઉદ્ધાટન કરવાના છે. જયપુરથી રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ ટ્રેનમાં સફર કરવાના છે. 13 એપ્રિલથી ટ્રેનને સામાન્ય મુસાફરો માટે શરૂ કરાશે. અજમેરથી દિલ્હી સુધી આ ટ્રેન અઠવાડિયાના 6 દિવસ સુધી દોડશે.

         


રાજસ્થાનની વંદે ભારત ટ્રેનને પીએમ બતાવશે લીલી ઝંડી

વંદે ભારત ટ્રેનને પીએમ મોદી આજે લીલી ઝંડી બતાવાના છે. અનેક રૂટમાં આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં ટ્રેનની સુવિધાઓ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા જ્યારે પીએમ મોદી દક્ષિણ ભારતની મુલાકાતે ગયા હતા તે દરમિયાન બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે રાજસ્થાનની વંદે ભારત ટ્રેનની શરૂઆત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાવાના છે. આ ટ્રેન અજમેરથી લઈ દિલ્હી સુધી જવાની છે. અઠવાડિયાના 6 દિવસ આ ટ્રેનને દોડાવવામાં આવશે. મેન્ટેન્સ માટે બુધવારે ટ્રેન નહીં દોડાવવામાં આવે.


અનેક વખત વંદે ભારત ટ્રેનને નડ્યો છે અકસ્માત 

મહત્વનું છે કે અનેક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. કોઈ વખત રખડતાં પશુઓ રસ્તામાં આવી જતા હોય છે તો કોઈ વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવતો હોય છે. અકસ્માત થવાને કારણે અથવા તો પથ્થરમારો થવાને કારણે ટ્રેનને મોટા પાયે નુકસાન પહોંચતું હોય છે. ત્યારે આ ટ્રેન કોઈ અકસ્માતનો ભોગ ન બને તેવી આશા.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.