ભોલે બાબાના શરણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરાખંડને આપશે અનેક ભેટ-સોગાદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:26:40

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુલાકાતે છે. ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં જતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન ભોલેની સમક્ષ માથું નમાવ્યું હતું. કેદારનાથમાં વડાપ્રધાન મોદીએ રૂદ્રાભિષેક પણ કર્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છઠ્ઠી વખત ઉત્તરાખંડની મુલાકાતે આવ્યા છે. દર્શન ઉપરાંત ઉત્તરાખંડને 3400 કરોડ રૂપિયાની વિકાસ કામોની ભેટ પણ આપવાના છે. વડાપ્રધાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિગુરૂ શંકરાચાર્યની સમાધિની પણ મુલાકાત લીધી હતી.  બદ્રીનાથ ધામની પણ પીએમ મોદી મુલાકાત લેવાના છે. 

અનેક વિકાસના કામોનું કરશે શિલાન્યાસ       

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના ખાસ ડ્રેસ ડોરામાં જોવા મળ્યા હતા. કેદારનાથની મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સાથે રાજ્યપાલ, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તેમજ કેબિનેટ મંત્રી જોવા મળ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યસ કર્યો હતો. આ રોપ-વે 9.7 કિલોમીટર લાંબો હશે. અને આ રોપ-વે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. હાલ આ અંતર કાપવામાં આશરે 6 કલાક જેટલો સમય લાગે છે પરંતુ રોપ-વે બન્યા બાદ આ સમય માત્ર 30 મિનિટમાં પૂર્ણ થશે. અને ચીનની સરહદે આવેલા માણા ક્ષેત્રમાં બે હાઈવે સંબંધિત યોજનાઓનું ખાતમૂહુર્ત કરશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.