રામની નગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી ઉજવશે, 5100 દિવડાથી કરશે સરયૂ નદીની આરતી


  • Published By :
  • Published Date : 2022-10-23 14:50:04

દર વર્ષે રામનગરી અયોધ્યામાં ભવ્ય રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં દિવાળી દરમિયાન દિપોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અયોધ્યા ખાતે ભવ્ય દિપોત્સવનું આયોજન કરવામાં આવવાનું છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યા ખાતે લાખોની સંખ્યામાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા ખાતે ઉપસ્થિત રહેશે.

  

અયોધ્યામાં ચાલી રહી છે તડામાર તૈયારી

દિવાળીના તહેવારને લઈ સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. દિપોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે અંદાજીત 17 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે. આ વર્ષે પણ વર્લ્ડ રેકોર્ડ તોડવામાં આવશે, વડાપ્રધાનના કાર્યક્રમની જો વાત કરીએ તો સાંજે 4.55 વાગ્યે રામલલ્લાની પૂજા કરશે. ત્યારબાદ રામ મંદિર નિર્માણનું નિરિક્ષણ કરશે. તે બાદ 6.25 વાગ્યે સરયૂ નદીની આરતીમાં ભાગ લેશે. 6.40 વાગ્યે રામની પીઠડી ખાતે આયોજીત દિપોત્સવમાં ભાગ લેશે. પીએમ મોદી ઉત્તરપ્રદેશની મુલાકાતે આવતા રામનગરી અભેદ્ય સુરક્ષા કવચમાં ફેરવાઈ ગઈ છે.           



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.