વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલના પ્રવાસે, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ ભાજપના કાર્યકરોને કર્યા સંબોધિત, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-27 13:34:51

દેશને અનેક વંદે ભારત ટ્રેનની સોગાદ મળી છે. ત્યારે આજે દેશને વધુ પાંચ વંદે ભારત ટ્રેનની ગિફ્ટ મળી છે. ભોપાલથી વર્ચુઅલી પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે. કમલાપતિ રેલવે સ્ટેશનથી તેમણે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. પહેલા પીએમ મોદીએ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર બેંગલુરુ અને ગોવા-મુંબઈને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી તે બાદમાં મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી ટ્રેનોને દેશને સમર્પિત કરી છે.

 


પીએમ મોદીએ કાર્યકર્તાઓને કર્યા સંબોધિત  

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણીને લઈ પ્રચાર પણ પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી પ્રચારનો આરંભ પીએમ મોદીએ ભોપાલથી કર્યો છે. એક સાથે પીએમ મોદીએ પાંચ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી. ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ભોપાલના નહેરૂ સ્ટેડિયમમાં મારૂ બૂથ, સૌથી મજબૂત અભિયાન હેઠળ લાખો કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. અંદાજીત 64100 બૂથના કાર્યકરોને ડિજિટલી પીએમ મોદીએ સંબોધ્યા હતા. પીએમ મોદીએ સંબોધન કરતી વખતે ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોની જાણકારી આપી હતી. 


ભાજપના કાર્યકરોનો પીએમ મોદીએ વધાર્યો ઉત્સાહ

ભાજપના કાર્યકરોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ભાજપની સૌથી મોટી તાકાત પાર્ટીના કાર્યકરો છે. તેમણે કહ્યું કે તમે કરેલી મહેનતની માહિતી સતત મારા સુધી પહોંચી રહી છે. જ્યારે હું અમેરિકા અને ઇજિપ્તમાં હતો ત્યારે પણ મને આ માહિતી મળતી હતી. તેથી જ ત્યાંથી મારા આગમન પર તમને સૌપ્રથમ મળવું મારા માટે વધુ સુખદ અને આનંદદાયક છે. ભાજપની સૌથી મોટી તાકાત તમે બધા કાર્યકરો છો. તે સિવાય વિપક્ષ પર પણ તેમણે પ્રહાર કર્યા હતા. 


શિવરાજસિંહ ચૌહાણે પણ લોકોને કર્યા સંબોધિત 

આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડા તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે  'અમે ભાગ્યશાળી છીએ કે અમે ભારતમાં જન્મ લીધો છે અને એવા સમયે ભાજપના કાર્યકર્તા છીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ કરી રહ્યા છે. મોદી નામ એક મંત્ર બની ગયું છે. આજે દરેક દેશ મોદી મંત્રનો જાપ કરી રહ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.