વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો ઈન્ડિયા 2023ની કરાઈ શરૂઆત, ફાઈટર પ્લેને ખેચ્યું બધાનું ધ્યાન


  • Published By :
  • Published Date : 2023-02-13 17:43:43

બેંગ્લુરૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરફોર્સ બેઝ યેલાહંકા ખાતે એરો ઈન્ડિયા મેગા શોનું ઉદ્ધાટન કર્યું હતું. એરો ઈન્ડિયાના 14માં એડિશનની શરૂઆત કરવા બેંગ્લોર ખાતે આવેલા એર ફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. આ શો પાંચ દિવસ સુધી ચાલવાનો છે. બેંગ્લુરુના આસમાનમાં ભારતીય વાયુસેનાના વિમાન પોતાની તાકાત બતાવતા હતા. સૌ કોઈની નજર એચએએલના વિમાન પર હતી. વિમાનના પાછળના ભાગમાં હનુમાનજીનો ફોટો દોરવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે રક્ષા એક એવું ક્ષેત્ર છે જેમાં તકનીકી, માર્કેટ અને સતર્કતાને સૌથી અધરૂ માનવામાં આવે છે. આ કાર્યક્રમ 13 ફ્રેબુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.

   

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કરી અનેક વાત  

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમૃતકાલનું ભારત એક ફાઈટર પ્લેનની જેમ આગળ વધી રહ્યું છે. જેને ઉંચાઓથી ડર નથી લાગતો. પહેલા આ માત્ર એર શો હતો, પરંતુ હવે આ ભારતની તાકાત બની સામે આવી રહ્યું છે. કોરોના કાલ બાદ પ્રથમ વખત આ શોમાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતમાં સરકારનો સ્પષ્ટ ઈરાદો છે. વર્તમાન સરકાર દ્વારા ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ મંજૂરીનો માહોલ સર્જાયો છે. તેથી જ દેશ અને વિશ્વના રોકાણકારોએ ભારતમાં સર્જાયેલા આ સહાયક વાતાવરણનો લાભ લેવો જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે આ એર શો એક કારણે ખાસ છે કે એ કર્ણાટક જેવી ટેક્નોલોજીની દુનિયામાં સ્થાન મેળવનારા રાજ્યમાં યોજાયો હતો. 

એર શો દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમે હાર્ટ શેપ બનાવ્યો હતો.

રક્ષામંત્રી પણ રહ્યા હતા ઉપસ્થિત 

રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કહ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકની ભૂમિ ધર્મ, તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, બહાદુરી અને વિજ્ઞાનની ભૂમિ રહી છે. રાજ્ય ઔદ્યોગિકીકરણમાં અગ્રેસર રહ્યું છે અને આપણા દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર યોગદાન આપનારાઓમાનું એક છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.