નવરાત્રી દરમિયાન વડાપ્રધાન મોદી લેશે મા અંબાના આશીર્વાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:49:03

હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીમાં મંદિરે જઈ માતાજીના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. એમાં પણ જો નવરાત્રીમાં શક્તિ પીઠના દર્શનનો અવસર મળે તો સોનામાં સુગંધ ભળી હોય તેવું લાગે. નરેન્દ્ર મોદી પણ શક્તિના ઉપાસક છે. હાલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ શક્તિ પીઠ અંબાજીના દર્શન માટે જવાના છે. એવું માનવામાં આવે છે માતા સતીનું હ્દય આ સ્થાનકે પડ્યું હતું. જેને કારણે આ શક્તિપીઠનું મહાત્મય વધી જાય છે. અંબાજી ખાતે તેઓ દર્શન અને પૂજા કરશે તથા મહાઆરતી પણ ઉતારશે. અંબાજી પર વડાપ્રધાનને અખૂટ વિશ્વાસ છે. વડાપ્રધાન બન્યા તે પહેલા પણ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વખત માના આશીર્વાદ લેવા, શક્તિપીઠ અંબાજીના દર્શને જતા હતા. આવો જોઈએ અંબાજી ખાતે જોડાયેલી તેમની યાદોને વિવિધ તસ્વીરો દ્વારા.

Shri Narendra Modi offers prayers at Ambaji Temple    

PM Modi's dream of seeing 51 Shakti Peeth temples in Ambaji came true |  PiPa News

Shri Narendra Modi offers prayers at Ambaji Temple

Shri Narendra Modi offers prayers at Ambaji Temple - YouTube



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.