પ્રધાનમંત્રી મોદી લોથલના વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:08:53

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ કલાકે લોથલના નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષના સાઈટવર્ક પ્રોગ્રેસની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રોજેક્ટની સમીક્ષા કરશે અને સંબોધન પણ કરશે. 


લોથલ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનશે

લોથલ આપણો ઐતિહાસિક વારસો છે. ગુજરાતના લોથલને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. 3500 કરોડના ખર્ચે વિકસતા પ્રોજેક્ટની શરૂઆત માર્ચ 2022માં કરવામાં આવી હતી. 


નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષમાં શું હશે?

આ પ્રોજેક્ટ અંતર્ગત લોથલ ખાતે ચાર થીમ પાર્ક- મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઈમ અને નેવી થીમ પાર્ક, ક્લાઈમેટ થીમ પાર્ક અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક બનાવવામાં આવશે. અહીં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ; હડપ્પન સમયથી શરૂ કરીને અત્યાર સુધી ભારતના દરિયાઈ વારસાને પ્રકાશિત કરતી 14 ગેલેરીઓ; રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરતું દરિયાકાંઠાના રાજ્યોના પેવેલિયન પણ બનાવવામાં આવશે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.