રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાન મોદી લોકસભામાં આપશે જવાબ, સંસદમાં આજે પણ થઈ શકે છે હોબાળો


  • Published By :
  • Published Date : 2023-02-08 10:42:02

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે આ સત્રનો આઠમો દિવસ છે. ત્યારે સંસદમાં અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. હોબાળાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત પણ કરવામાં આવી છે. ત્યારે મંગળવારના દિવસે રાહુલ ગાંધીએ લોકસભામાં અદાણી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેર્યા હતા. તે સિવાય રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને પણ ટિપ્પણી કરી હતી. આ બધા વચ્ચે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના છે. જેને લઈ સંસદમાં ફરી એક વખત હોબાળો થવાની સંભાવના દેખાઈ રહી છે.

 


રાષ્ટ્રપતિના અભિભાષણને લઈ સંસદમાં થયો હતો હોબાળો 

બજેટના પ્રથમ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. તે પહેલા બંને ગૃહોના સાંસદોને રાષ્ટ્રપતિએ સંબોધિત કર્યા હતા. ત્યારે મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર જોરદાર હંગામો થયો હતો. તે સિવાય સંસદમાં અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

राहुल ने लोकसभा में एक तस्वीर दिखाई। इसमें गौतम अडाणी और नरेंद्र मोदी नजर आ रहे हैं।


અદાણી મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમને ઘેરવાનો પ્રયાસ 

લોકસભામાં રાહુલ ગાંધીએ હિંડનબર્ગ રિપોર્ટ પર સરકાર અને વડાપ્રધાન મોદીને અનેક પ્રશ્નો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 2014માં ગૌતમ અદાણી અમીરોની લિસ્ટમાં 609 નંબરના ક્રમે હતા. પરંતુ થોડા જ વર્ષોની અંદર તેઓ અમીરોની લિસ્ટમાં બીજા ક્રમે આવી ગયા. તે સિવાય રાહુલે ગૌતમ અદાણી અને વડાપ્રધાન મોદીનો ફોટો પણ બતાવ્યો હતો અને 7 સવાલો પણ પૂછ્યા હતા. 

Image

ભાજપના અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

રાહુલના આ નિવેદન પર ભાજપના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. સ્મૃતિ ઈરાનીએ જવાબ આપતા કહ્યું કે એક મેજિક મારા સંસદીય ક્ષેત્રમાં પણ થયું છે. અમેઠીમાં 40 એકડ જમીનનું મેજિક થયું. 40 એકર જમીનનું ભાડું માત્ર 623 રુપિયા. તે સિવાય રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે પણ તેમણે જવાબ આપ્યો હતો. તે સિવાય ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર ખોટા આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતા બધા કૌભાંડમાં સામેલ છે જેણે ભારતની ઈમેજને બગાડી છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!