કાશીથી બોગીબીલ જતી ગંગા વિલાસ ક્રૂઝને વડાપ્રધાન મોદી બતાવશે લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-01-13 09:59:00

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગંગા વિલાસ ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે. આ ક્રૂઝ વિશ્વના સૌથી લાંબા જળમાર્ગ પર ચાલવાની છે. આ ક્રૂઝની યાત્રા 3200 કિલોમીટરની હશે. વડાપ્રધાન મોદી વર્ચુઅલી આ ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હશે. ઉપરાંત પીએમના હસ્તે ચાર કોમ્યુનિટી જેટીનું પણ ઉદ્ધાટન થવાનું છે. 



3200 કિલોમીટરની ક્રૂઝ કરશે યાત્રા 

કાશીથી બોગીબીલ સુધી આ ક્રૂઝ યાત્રા કરવાની છે. આ ક્રૂઝની સફરનો આનંદ સ્વિટ્જરલેન્ડના 32 પર્યટકો માણશે. 3200 કિલોમીટરની આ યાત્રા 51 દિવસમાં પૂર્ણ થશે. પોતાના સફરમાં આ ક્રૂઝ 27 નદીઓને અને 50 પર્યટક સ્થળોને જોડશે. દુનિયાની સૌથી લાંબી ક્રૂઝ યાત્રા પર નિકળવા તૈયાર છે. ગંગા વિલાસ ક્રૂઝ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે.

PM મોદીના ટેલિપ્રોમ્પ્ટરમાં ખરેખર ગરબડ થઈ હતી કે કંઈ બીજું કારણ હતું? - BBC  News ગુજરાતી

બીજા અનેક પ્રોજેક્ટનો પીએમ કરશે શિલાન્યાસ 

પીએમ મોદી ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે ઉપરાંત બિહારના બે જિલ્લામાં પાંચ ઘાટનો શિલાન્યાસ પણ કરવાના છે. પશ્મિબંગાળમાં હલ્દિયા મલ્ટી મોડલ ટર્મિનલ અને ગુવાહટીમાં પૂર્વોત્તર માટે સમુદ્રી કૌશલ વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.