શું પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી એ સ્કૂલ નકલી હતી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 18:39:07

પ્રધાનમંત્રી મોદીએ આજે ગાંધીનગરના અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો શુભારંભ કરાવ્યો હતો. અડાલજના જાણીતા ત્રીમંદિર દાદાનગર કન્વેન્શન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ એક નવનિર્મિત સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.


AAPએ સ્કૂલ પર સવાલ ઉઠાવ્યા


આમ આદમી પાર્ટીએ આ સ્કૂલ ઓફ એક્સેલન્સની તસવીરો વાયરલ કરી હતી. આ સ્કૂલની દિવાલો પર વોલ પેપર લગાવવામાં આવ્યું છે, ક્લાસમાં માત્ર 3 જ બેન્ચ છે. સ્કૂલના ક્લાસ બતાવી આમ આદમી પાર્ટીએ સરકારને સવાલ કર્યા હતા કે શું સરકાર આ પ્રકારની સ્કૂલો બનાવવા માગે છે.


સ્કૂલ ઓફ એક્સેલન્સ અંગે ભાજપનો જવાબ


આ સ્કૂલ અંગે આમ આદમી પાર્ટીએ કરેલા સવાલોનો જવાબ આપતા ભાજપના સુત્રોએ આ સ્કૂલને ડેમો ગણાવી છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાજ્ય સરકાર  આગામી 4-5 વર્ષમાં નવા 50 હજાર ક્લાસરૂમ બનાવશે જેમાંથી દોઢ લાખ સ્માર્ટ ક્લાસરૂમ હશે. 20 હજાર કોમ્પ્યુટર લેબ, અને 5 હજાર જેટલી અટલ ટિંકરિંગ લેબ્સ પણ ઉભી કરવામાં આવશે. રાજ્ય સરકાર આ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પાછળ 5,567 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરશે. આ અત્યાધુનિક સ્માર્ટ સ્કૂલ 5G ઈન્ટરનેટ સર્વિસ આધારીત સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ શિક્ષણ વ્યવસ્થાથી સજ્જ હશે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.