વડાપ્રધાન મોદીના માતા હીરાબા થઈ રહ્યા છે સ્વસ્થ , જલ્દી મળી શકે છે હોસ્પિટલમાંથી રજા


  • Published By :
  • Published Date : 2022-12-29 11:35:25

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત અચાનક ગઈકાલે બગડી ગઈ હતી. જેને કારણે સારવાર માટે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાની તબિયત બગડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત દોડી આવ્યા હતા. થોડા કલાકોની મુલાકાત બાદ તેઓ દિલ્હી પરત ફરી ગયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર હીરાબાની સ્થિતિ સુધરી રહી છે. હાલ હીરાબાની તબિયત ઘણી સારી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે એક-બે દિવસ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. 


એકાદ દિવસમાં હીરાબાને અપાશે રજા 

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં પીએમ મોદીના માતાને દાખલ કરવામાં આવ્યા હતા. એકાએક તેમની તબિયત બગડી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માતાની તબિયત બગડવાને કારણે પીએમ મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ઉપરાંત દાખલ કર્યા ત્યારથી ડોક્ટરની ટીમના સંપર્કમાં હતા. હીરા બા જલ્દી સાજા થાય તે માટે અનેક સ્થળો પર, અનેક મંદિરોમાં તેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર હીરાબાની તબિયત સુધારા પર છે. અને એકાદ દિવસમાં તેમને રજા પણ આપી દેવામાં આવશે. આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હીરાબાની ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગયા હતા. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.