વડાપ્રધાન મોદીના એક મજાક પર ગરમાઈ રાજનીતિ! જાણો શું બોલ્યા હતા પીએમ મોદી જેને લઈ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન!


  • Published By :
  • Published Date : 2023-04-27 14:32:49

આપઘાત કરવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે. ત્યારે આત્મહત્યા અંગે વડાપ્રધાન મોદીએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક મીડિયા કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે એક નિવેદન આપ્યું હતું જેને લઈ કોંગ્રેસ દ્વારા તેની ટીકા કરવામાં આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીનો એ વીડિયો શેર કર્યો છે.

  

વડાપ્રધાન મોદીએ કહી આ વાત!  

વડાપ્રધાન મોદી કોન્ક્લેવમાં બોલ્યા હતા કે, એક જોક સાંભળ્યો કે કેવી રીતે એક પ્રોફેસરે તેમની પુત્રી દ્વારા લખેલી સુસાઈડ નોટ વાંચીને ટિપ્પણી કરી કે આટલા વર્ષોના પ્રયત્નો છતાં તેણે સ્પેલિંગ મિસ્ટેક કરી હતી. અને આ કહ્યા પછી વડાપ્રધાન મોદી તેમજ ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા આ વાતને લઈ ટિપ્પણી કરવામાં આવી રહી છે.             

પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર!

આ વાતને લઈ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે વડાપ્રધાન અને તેમની મજાક પર દિલથી હસનારાઓએ આ અસંવેદનશીલ, રોગિષ્ઠ રીતે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની મજાક ઉડાવવાને બદલે પોતાનો વધુ સારી રીતે શિક્ષિત કરવા જોઈએ. આ સાથે જ તેમણે આંકડાઓ પણ દર્શાવ્યા હતા. જે મુજબ વર્ષ 2021માં 164033 ભારતીયોએ સ્યુસાઈડ કર્યું છે. આત્મહત્યા કરનાર વ્યક્તિઓમાં મોટી સંખ્યામાં 30થી નાની ઉંમરના લોકો છે. તે સિવાય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું કે હજારો પરિવાર આત્મહત્યાને કારણે પોતાના છોકરાઓને ખોઈ રહ્યા છે. પીએમ મોદીએ એમની મજાક નહોતી કરવી જોઈતી. 


આત્મહત્યા બન્યો એક ગંભીર મુદ્દો!

ઉલ્લેખનિય છે કે અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યા કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દો ગંભીર બની રહ્યો છે. આ વિષય પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. કારણ કે દેશનું ભાવિ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.