માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી શકે છે પ્રધાનમંત્રી મોદી


  • Published By :
  • Published Date : 2022-10-26 19:20:10

ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે અનેક પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તમામ નેતાઓનું ધ્યાન ગુજરાતની જનતાને પોતાની તરફ આકર્ષવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વારંવાર ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડિંડોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 1 નવેમ્બરે મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. 


માનગઢ હિલ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 

1 નવેમ્બરે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવી રહ્યા છે. માનગઢ હિલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે ચર્ચાઓ ઉઠી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી શકે છે. માનગઢ હિલ સાથે આદિવાસી સમાજના લોકોની આસ્થા અને અસ્મિતા જોડાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજના લોકો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે લડત કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પણ નજીક છે અને પ્રધાનમંત્રી પણ આવી રહ્યા છે તો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. 


કેમ આદિવાસીઓ માનગઢ હિલ માટે કરી રહ્યા છે લડત?

પંજાબમાં 13 એપ્રિલ 1919માં જેમ જલિયાવાલા હત્યાકાંડ થયો હતો તેમ ગુજરાતમાં પણ હત્યાકાંડ થયો હતો. આ હત્યાકાંડ અંગ્રેજોએ આદિવાસીઓ પર ગોળીઓ ચલાવીને કર્યો હતો. આદિવાસી લોકોએ 1913માં ગોવિંદ ગુરુની આગેવાનીમાં અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ થઈ હતી. ગોવિંદ ગુરુએ અંગ્રેજોના અત્યાચાર સામે ભગત આંદોલન ચલાવ્યું હતું જેને દબાવવા માટે અંગ્રેજોએ આદિવાસી લોકો પર ગોળીઓનો વરસાદ કર્યો હતો જેમાં અનેક આદિવાસી લોકો શહીદ થયા હતા. 


ભાજપ આદિવાસીઓને આકર્ષવા કરી રહી છે પ્રયાસ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા મોટી માત્રામાં છે. ગુજરાતની દક્ષિણનો પટ્ટો અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદનો જે પટ્ટો છે તેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. ગુજરાત સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે જમીનોનું સંપાદન કર્યું હતું જેમાં આદિવાસીઓની જમીનો સરકારે માગી હતી અને અમુક જમીનો સરકારે લઈ લીધી હતી તેવું આદિવાસીઓનું કહેવું છે. પોતાની જમીનો પર સરકારે કબજો કર્યો છે તેવું આદિવાસીઓનું માનવું છે આથી તેઓ સરકારથી નારાજ છે. પાર તાપી લિંક પ્રોજેક્ટ મામલે પણ સરકારને આદિવાસીઓ પાસેથી જોઈએ તેવું વલણ નહોતું મળ્યું. જમીનોનું સંપાદન થયું ત્યારે આદિવાસી લોકો સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તો સરકાર સામે ઝુંબેશ ઉઠાવી હતી. 


કુદરતે માનગઢ હિલને આપી છે સૌંદર્યની ભેટ

માનગઢ હિલ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર છે. માનગઢ હિલને કુદરતે કુદરતી સૌંદર્યની ભેટ આપી છે. 1913ની અંદર ગોવિંદ ગુરુની આગેવાનીમાં અહીં અંગ્રેજો સામે લડત આપવાની યોજનાઓ ઘડાઈ હતી. ગુજરાતના માનગઢ હત્યાકાંડને જલિયાવાલા બાગ હત્યા કાંડ કરતા પણ  મોટો નરસંહાર છે. જલિયાવાલા બાગ કાંડના પહેલા પાંચ વર્ષ પહેલા આદિવાસીઓનો નરસંહાર થયો હતો તે માનગઢ હિલને અંગ્રેજોથી બચાવવા માટે જ થયો હતો. 


ત્યારે હવે ટૂંક સમયની અંદર જ આચાર સંહિતા જાહેર થઈ જશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓને કેટલી મનાવશે અને કેવી રીતે આદિવાસીઓના મતોને પોતાના પક્ષમાં ખેંચી શકશે તે જોવાનું રહેશે. 

 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કની સામે જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. અમેરિકાના બધા જ ૫૦ રાજ્યોમાં તેમનો વિરોધ થયો છે. હવે ઈલોન મસ્કે ટેરિફને લઇને પોતાના સુર બદલ્યા છે. તો આ તરફ ચાઈનાએ કાઉંટર ટેરિફ અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ પર લગાડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકાનું સૌથી ઉચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે.

વાત કરીએ વિશ્વની તો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિસ્ફોટના કારણે ત્યાં મહામંદી આવવાના એંધાણ છે. કેમ કે આજથી ૯૫ વર્ષ પેહલા અમેરિકામાં ટેરિફ લગાવવા પર ત્યાં ભયંકર મંદી આવી હતી. કેરેબિયન સમુદ્રનો એક દેશ જેનું નામ છે , હૈતી કે જ્યાં દેખાવકારોએ ત્યાં ગેંગસ્ટરોની સામે જોરદાર દેખાવો કર્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીમસ્ટેકની સમિટમાં ભાગ લેવા થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પહોંચ્યા છે . ઉપરાંત વાત કરીએ ઓસ્ટ્રેલિયાની તો ત્યાંના પીએમ એન્થની આલ્બાનીઝ ચૂંટણી પ્રચાર દરમ્યાન પડી ગયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પએ જે "ટેરિફ વિસ્ફોટ" કર્યો છે હવે તેની સામે વિશ્વના દેશોએ અલગ અલગ તૈયારી કરી છે જેમ કે ચાઇના આ ટેરિફને લઇને કાઉન્ટર ટેરિફ અમેરિકા પર લગાવશે જયારે ઓસ્ટ્રેલિયા ટ્રમ્પ સાથે ચર્ચા કરશે .

હવે અમેરિકા આ બધા જ દેશ પર કેટલો ટેરિફ લગાડવા જઈ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ભારત,અમેરિકન વસ્તુઓ ઉપર ૫૨% ટેરિફ લગાડે છે,જયારે હવે અમેરિકા ડીસ્કાઉન્ટ સાથે હવેથી ભારતની અમેરિકામાં થતી નિકાસો ૨૬% ટેરિફ વસુલશે.વ્હાઇટ હાઉસ દ્વારા આ ટેરિફ અમલીકરણ એપ્રિલની ૫મી તારીખથી શરુ થશે.અમેરિકાએ આ તમામ દેશ ઉપર ૧૦% ફ્લેટ ટેરિફ લગાડ્યો છે. આ ટેરીફનો અમલ એપ્રિલની ૯મી તારીખથી શરુ થશે.ભારત માટે શરૂઆતમાં ૫મી એપ્રિલથી ૧૦ ટકા ટેરિફ લાગશે અને પછી એપ્રિલની ૯મી તારીખથી બીજો ૧૬ ટકા ટેરિફ ઉમેરાશે. આમ ભારત ઉપર ટોટલ ૨૬ ટકા ટેરીફનું અમલીકરણ શરુ થઈ જશે.