રાજકોટમાં વડાપ્રધાન મોદી કરવાના છે રોડ શો અને જનસભા, તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 18:27:39

હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવી નથી. તારીખ જાહેર થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ ગુજરાતમાં આવી ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગણાવશે. તેમના આગમનને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

6 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરશે 

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ફરી એક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ રાજકોટ ખાતે આવી જનસભાને સંબોધવાના છે. એરપોર્ટ ખાતેથી શાસ્ત્રી મેદાન સુધી તેઓ રોડ શો કરવાના છે. અંદાજીત 3 કિલોમીટરની આ રેલી યોજાવાની છે. રેસકોર્સમાં જાહેર સભા માટેની તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવી રહ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 6 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. રેસકોર્સમાં જનસભા પણ સંબોધવાના છે. 


ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું છે આયોજન 

પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગુજરાતને વિકાસના કામોની ભેટ આપતા હોય છે. આ પ્રવાસ દરમિયાન પણ કરોડો રૂપિયાના ખર્ચે થયેલા વિકાસ કામોનું તેઓ લોકાર્પણ કરવાના છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોદીજીના રોડ શો દરમિયાન ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.  




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.