આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન મોદી! કરોડોના વિકાસ કામોનું કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ! જાણો શું છે સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-05-11 16:26:22

આવતી કાલે ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરવાના છે. ત્યારે પીએમ મોદીના સમગ્ર કાર્યક્રમની વાત કરીએ તો  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘના 29મા રાષ્ટ્રીય સંમેલનમાં ઉપસ્થિત રહેશે. પ્રાથમિક શિક્ષક સંઘનું સંમેલન 13 મે સુધી ગિફ્ટ સિટીમાં યોજાઈ રહ્યું છે. જેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી પણ હાજર રહેશે. આ સંમેલનમાં 91 હજાર પ્રતિનિધિ હાજર રહેશે.


2 હજાર 452 કરોડના રાજ્યલક્ષી કાર્યોનું કરશે ખાતમૂહુર્ત અને લોકાર્પણ!

સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 હજાર 452 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ કામોમાં શહેરી વિકાસ વિભાગના 1 હજાર 654 કરોડના, વોટર સપ્લાય વિભાગના 734 કરોડના, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના 39 કરોડ અને ખાણ અને ખનિજ વિભાગના 25 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે. શહેરી વિકાસ વિભાગ અમદાવાદના બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં STP અને રાઈઝિંગ મેઈનનું લોકાર્પણ કરશે. 


દહેગામમાં ઓડિટોરિયમનું કરશે લોકાર્પણ!

તે સિવાય દહેગામમાં ઓડિટોરિયમ અને અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવાના છે.  આ સાથે શહેરીવિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદમાં ગોતા ખાતે અને અમરાઈવાડીના નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, નરોડા પાટિયાને જોડતા ફ્લાયઓવર બ્રિજ, વાડજ સતાધાર જંક્શનનો ફોરલેન ફ્લાયઓવર અને એએમસીના ટીપીનું ખાતમુહૂર્ત કરવાના છે. આ સિવાય પ્રધાનમંત્રી અનેક વિભાગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણ-વાપીની મુલાકાત લીધી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.