આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન મોદી! કરોડોના વિકાસ કામોનું કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ! જાણો શું છે સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-05-11 16:26:22

આવતી કાલે ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરવાના છે. ત્યારે પીએમ મોદીના સમગ્ર કાર્યક્રમની વાત કરીએ તો  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘના 29મા રાષ્ટ્રીય સંમેલનમાં ઉપસ્થિત રહેશે. પ્રાથમિક શિક્ષક સંઘનું સંમેલન 13 મે સુધી ગિફ્ટ સિટીમાં યોજાઈ રહ્યું છે. જેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી પણ હાજર રહેશે. આ સંમેલનમાં 91 હજાર પ્રતિનિધિ હાજર રહેશે.


2 હજાર 452 કરોડના રાજ્યલક્ષી કાર્યોનું કરશે ખાતમૂહુર્ત અને લોકાર્પણ!

સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 હજાર 452 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ કામોમાં શહેરી વિકાસ વિભાગના 1 હજાર 654 કરોડના, વોટર સપ્લાય વિભાગના 734 કરોડના, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના 39 કરોડ અને ખાણ અને ખનિજ વિભાગના 25 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે. શહેરી વિકાસ વિભાગ અમદાવાદના બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં STP અને રાઈઝિંગ મેઈનનું લોકાર્પણ કરશે. 


દહેગામમાં ઓડિટોરિયમનું કરશે લોકાર્પણ!

તે સિવાય દહેગામમાં ઓડિટોરિયમ અને અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવાના છે.  આ સાથે શહેરીવિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદમાં ગોતા ખાતે અને અમરાઈવાડીના નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, નરોડા પાટિયાને જોડતા ફ્લાયઓવર બ્રિજ, વાડજ સતાધાર જંક્શનનો ફોરલેન ફ્લાયઓવર અને એએમસીના ટીપીનું ખાતમુહૂર્ત કરવાના છે. આ સિવાય પ્રધાનમંત્રી અનેક વિભાગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણ-વાપીની મુલાકાત લીધી હતી. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!