દેશવાસીઓ પાસેથી વડાપ્રધાન મોદીએ માગ્યા સૂઝાવ, નમો એપ પર આપી શકશે માહિતી


  • Published By :
  • Published Date : 2022-12-13 16:23:11

મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરતા હોય છે. 25 ડિસેમ્બરના રોજ 2022ની છેલ્લી મન કી બાતમાં પીએમ મોદી સંબોધન કરવાના છે. ત્યારે આ વખતે મન કી બાતમાં કઈ બાબત પર ચર્ચા કરવી તે અંગે દેશવાસીઓ પાસેથી સૂજાવ મંગાવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી અપી હતી.


23 ડિસેમ્બર સુધી આપી શકાશે સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 96મી વખત મન કી બાતમાં સંબોધન કરવાના છે. મન કી બાતમાં વડાપ્રધાન મોદી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરતા હોય છે. ત્યારે આ વખતે કયા મુદ્દાઓ પર ચર્ચા કરવી તે અંગે વડાપ્રધાન મોદીએ લોકો પાસેથી રાય માંગી છે. ટ્વિટર પર તેમણે ટ્વિટ કરતા કહ્યું કે 25 ડિસેમ્બરના રોજ 2022નું અંતિમ મન કી બાત કાર્યક્રમ થવાનો છે. હું તમારા નવા વિચાર જાણવા ઉત્સુક છું. નમો એપ પર અથવા તો 1800-11-7800 પર પોતાનો સંદેશ રેકોર્ડ કરી મારા સુધી પહોંચાડવો. 23 ડિસેમ્બર સુધી લોકો તેમના સુધી પોતાનો સંદેશો પહોંચાડી શકે છે.           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.