નવરાત્રી દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 12:19:45

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.  વડાપ્રધાન તેમજ અમિત શાહ નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાતમાં આવીને જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવાના છે.

પીએમ મોદી પાંચ દિવસના ગુજરાત પ્રવાસે  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 29,30 સપ્ટેમ્બરે તેમજ 9થી 11 ઓક્ટોબર દરમિયાન વડાપ્રધાન 12 જનસભાને સંબોધવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક છે. નવરાત્રી દરમિયાન તેઓ શક્તિપીઠ અંબાજીના દર્શન પણ કરવાના છે.

પ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શન માટે 12 મે સુધી બંધ રહેશે, કોરોના સંક્રમણને લઇ  લેવાયો નિર્ણય | Ambaji temple closed doors for devotees till may 12 | TV9  Gujarati

વડાપ્રધાન મોદીનો શિડ્યુલ

29 અને 30 સપ્ટેમ્બરના રોજ પીએમ સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીના પ્રવાસે છે. તે બાદ 9 ઓક્ટોબરના રોજ મોડાસાના પ્રવાસે જઈ શકે છે. 10 ઓક્ટોબરના રોજ જામનગર અને ભરૂચના પ્રવાસે છે અને 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે છે.

શરૂ થયો ચૂંટણી પ્રચારનો દોર

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. એક બાદ એક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે જ્યારે કોંગ્રેસે પણ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણી પ્રચાર કરવાની છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.