સંસદમાં શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન મોદી મીડિયા સમક્ષ થયા રૂબરૂ


  • Published By :
  • Published Date : 2022-12-07 11:04:48

આજથી સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. 27 ડિસેમ્બર સુધી આ સત્ર ચાલવાનું છે. ત્યારે સંસદમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતના આંગણે જી-20 યોજાઈ રહી છે. ભારત પાસેથી વિશ્વની અપેક્ષા વધી રહી છે. 

અમૃત કાળમાં અમે આગળ વધી રહ્યા છીએ - પીએમ મોદી 

પોતાના સંબોધનની શરૂઆત કરતા તેમણે કહ્યું આજે સંસદનો પ્રથમ દિવસ છે. આ સત્ર એટલા માટે પણ જરૂરી છે કે 15 ઓગસ્ટ પહેલા આપણે મળ્યા હતા. 15 ઓગસ્ટે આઝાદી કા અમૃત મહોત્સવ પૂર્ણ થયું અને અમે અમૃત કાળમાં આગળ વધ્યા. 

વૈશ્વિક સ્તરે ભારતને આગળ વધારાના પ્રયત્નો કરાશે - પીએમ

પોતાના સંબોધનમાં તેમણે વિકાસની વાત કરતા રહ્યું કે આ સત્રમાં દેશને વિકાસની નવી ઉંચાઈઓ તરફ આગળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉપરાંત વર્તમાન વૈશ્વિક સ્તરે દેશને આગળ વધારવાનો પ્રયત્ન કરાશે જેને લઈ યોગ્ય અને જરૂરી નિર્ણયો લેવાશે.

રાજકીય પાર્ટીઓને સંસદ ચાલે તે માટે સહયોગ આપવા અપીલ કરી  

સંસદમાં થતી ચર્ચાઓ ઘણી વખત ઉગ્ર બની જતી હોય છે. જેને કારણે સત્રને ખારીજ કરી દેવામાં આવે છે, કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આની પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે બધા રાજકીય પક્ષો આ સત્ર દરમિયાન ચર્ચાના સ્તરમાં વૃદ્ધિ થાય. પોતાના વિચારોથી નિર્ણયોને નવી તાકાત એવું દિશા મળશે. 




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.