વડાપ્રધાન ભાજપ સાથે કોંગ્રેસનો પણ કરી રહ્યા છે પ્રચાર - ઈસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:43:32

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી લડાવાની છે. મતદારો સુધી પહોંચવા દરેક પાર્ટી પ્રયત્ન કરી રહી છે. પોતાના પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી એક બીજા પર આરોપ લગાવતા હોય છે. આપ અને ભાજપ વચ્ચે આ સામાન્ય બની ગયું છે. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. જેના પર ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને જીવંત રાખવાનું કામ પીએમ મોદી કરી રહ્યા છે. જો થોડી સીટ પણ કોંગ્રેસ જીતે તો ભાજપ કોંગ્રેસના MLAને ખરીદી શકે.

વડાપ્રધાન ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવા માગે છે - ઈસુદાન 

ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડવા અનેક સ્થળો પર જનસભા પણ સંબોધી હતી. પોતાના પ્રચાર દરમિયાન કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ નવી રણનીતિ બનાવી લોકોને ભ્રમિત કરી રહી છે તેવું તેમણે કહ્યું હતું. આ વાત પર આપે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યો હતો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં છે જ નહીં. વડાપ્રધાન ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવા માગે છે. 27 વર્ષથી ભાજપ એટલા માટે સત્તા પર છે કારણ કે જ્યારે પણ જરૂરત હોય છે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યને ખરીદી લે છે.


કોંગ્રસના ધારાસભ્યોને ખરીદી ભાજપ સત્તા પર આવે છે - ઈસુદાન

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની જનતા હવે જાણી ગઈ છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઆઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ વિરૂદ્ધ આંદોલન કરનાર આંદોલનકારી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એનો મતલબ સાફ છે કે ભાજપ કોંગ્રેસના નેતાઓને ડરાવી, ધમકાવીને ભાજપમાં સામેલ કરી રહી છે. પણ આ વખતે ગુજરાતની જનતાએ મન મનાવી લીધુ છે કે ભાજપ કે કોંગ્રેસ આ વખતે સત્તામાં આવશે નહીં આમ આદમી પાર્ટી જ આવશે.




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.