Price Hike : Diwali પહેલા વધ્યા ખાદ્યતેલના ભાવ, જાણો પ્રતિ ડબ્બે કેટલા રુપિયાનો કરાયો ભાવ વધારો?


  • Published By :
  • Published Date : 2023-11-04 12:34:13

દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવારને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવસી દરમિયાન નાસ્તો બનાવવામાં આવતો હોય છે. આ દિવસો દરમિયાન તેલનો ઉપયોગ વધારે જોવા મળતો હોય છે. ત્યારે દિવાળીના સેલિબ્રેશનમાં મોંઘવારી નડતરરૂપ થઈ શકે છે.  મોંઘવારીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે વધુ એક મોંઘવારીનો ઝટકો મધ્યમવર્ગીય પરિવારને મળ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બામાં 100 રુપિયાનો વધારો કરાયો છે. રાજકોટમાં જે ડબ્બો પહેલા 1500ની આસપાસ મળતો હતો તે હવે 1600ની આસપાસ મળશે. 

  કપાસિયા તેલ સિંગતેલ લગોલગ! ડબ્બાના ભાવ રૂ. 2400 પહોંચ્યા | Cottonseed oil  is close to cingulum oil The price of a box is Rs 2400 arrived

દિવાળી દરમિયાન ખાદ્યતેલનો વધારે હોય છે વપરાશ  

મોંઘવારી પ્રતિદિન વધી રહી છે. જે વસ્તુઓ પહેલા ઓછી કિંમતમાં મળતી હતી તે પણ આજે મોંઘા ભાવે મળી રહી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ  પણ સતત મોંઘી થઈ રહી છે. તહેવારના સમયે મોંઘવારી વધે છે તેની સીધી અસર મધ્યમવર્ગીય પરિવાર પર પડતી હોય છે. મોંઘવારી વધતી જાય છે જેને કારણે મધ્યમપરિવારને ભોગવવાનો વારો આવે છે. દિવાળી સમયે તેલનો વપરાશ વધારે થતો હોય છે. આ સમય દરમિયાન તેલની માગ ઘરોમાં સામાન્ય દિવસો કરતા વધારે જોવા મળતો હોય છે. ત્યારે દિવાળી પહેલા કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે. એક જ દિવસમાં ડબ્બે 100 રુપિયાનો ભાવ વધારો ઝિંકાયો છે. 


એક જ દિવસમાં પ્રતિ ડબ્બે આટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો 

દિવાળી સમય તેલની માગ વધતી હોય છે. તહેવારને લઈ નાસ્તા વગેરે પણ બનતા હોય છે જેમાં તેલનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. તેલમાં જ નાસ્તા તળવામાં  આવે છે. ત્યારે દિવાળી પહેલા ડબ્બે 100 રુપિયાનો ભાવ વધારો કપાસિયા તેલ પર કરાયો છે. થોડા દિવસ પહેલા સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે  આજે કપાસિયા તેલના ભાવમાં 100 રુપિયા એકસાથે વધારી દેવામાં આવ્યા છે. 1510ની આસપાસ મળતો ડબ્બો ભાવ વધારા બાદ 1610માં મળશે. સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે છે તેવી શક્યતાઓ તહેવાર સમયે ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.        


લગ્નની સિઝન દરમિયાન પણ વધી શકે છે તેલના ભાવ 

દિવાળીના તહેવાર બાદ લગ્નની સિઝન પણ શરૂ થવાની છે. લગ્નની સિઝન આવતા જ તેલની માગમાં વધારો થઈ જશે. જો ખાદ્યતેલના ભાવમાં જ વધારો થઈ જશે તો અનેક વસ્તુઓ પર આ ભાવ વધારાની સીધી અસર થશે. સિંગતેલના ભાવમાં પણ આવનાર દિવસોમાં વધારો થઈ શકે છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!