આવતીકાલે રાષ્ટ્રપતિ મૂર્મુ બ્રિટનના રાણીની અંતિમવિધિમાં જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:45:27



બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાનું થોડા દિવસો અગાઉ નિધન થયું હતું. ત્યારે 19 સપ્ટેમ્બર સોમવારના દિવસે બ્રિટિશ મહારાણીની અંતિમવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવતીકાલે બ્રિટનના સમય મુજબ સવારે 11 કલાકે બ્રિટિશ મહારાણીના સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઉપસ્થિત રહેશે. દેશ વિદેશથી અનેક રાજકીય નેતાઓ અને વીઆઈપી લોકો ઉપસ્થિત રહેશે. 


કયા મોટા નેતાઓ હાજર રહેશે?

દેશ વિદેશથી અનેક મોટા નેતાઓ અંતિમ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બિડેન પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પણ લંડન બ્રિટનના મહારાણીની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેશે. વેસ્ટમિન્સ્ટરના એબ્બે ખાતે મહારાણીના અંતિમ સંસ્કાર વિધિમાં દુનિયાભરના 2 હજારથી વધુ વીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહેશે.


8 સપ્ટેમ્બરના રોજ ગુરુવારે બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાનું 96 વર્ષની વયે સ્કૉટલેન્ડના બાલ્મોરલ કાસલમાં નિધન થયું હતું. તેઓ બ્રિટનના સૌથી લાંબા ગાળા સુધી રહેનારા રાણી હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.