ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 11:10:26

2 દિવસ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતની મુલાકાત આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રેસિડન્ટ અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ, વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. 



વિવિધ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ લેશે ભાગ

રાષ્ટ્રપતિએ પોતાના પ્રવાસની શરૂઆત ગાંધી આશ્રમ ખાતેથી કરી છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે બાદ ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ખાતમૂહુર્ત કરવાના છે જેમાં 373 કરોડના ખર્ચે ટ્રોમાં સેન્ટર બનવાનું છે.


અનેક કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

પોતાના પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ અનેક સ્ટાર્ટઅપને પણ લોન્ચ કરવાના છે. સ્ટાર્ટઅપ લોન્ચ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 'herstart' લોન્ચ કરશે. ઉપરાંત અમદાવાદ સ્થિત યુનિવર્સિટીમાં શિક્ષણ તેમજ આદિવાસી વિકાસ સંબંધિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિટિ હોસ્પિટલનું પણ ખાતમૂહુર્ત તેમના હસ્તે થવાનું છે. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.