દેશના 13 રાજ્યમાં નવા રાજ્યપાલોની નિમણૂક, રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-12 15:21:50

દેશના 13 રાજ્યોને નવા રાજ્યપાલો મળ્યા છે, રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુએ આજે રવિવારે 13 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર ગુલાબચંદ કટારિયાને આસામના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તો સીપી રાધાકૃષ્ણને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજેન્દ્ર વિશ્વનાથને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. લક્ષ્મણ પ્રસાદ આચાર્યને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ (નિવૃત્ત) એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


આ છે 13 રાજ્યોના રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નર


1-ગુલાબ ચંદ કટારિયા રાજ્યપાલ, આસામ 

2- રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, રાજ્યપાલ, બિહાર

3-શિવ પ્રતાપ શુક્લા, રાજ્યપાલ, હિમાચલ પ્રદેશ

4-રમેશ બૈસ, રાજ્યપાલ, મહારાષ્ટ્ર  

5- નિવૃત્ત ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીર, રાજ્યપાલ, આંધ્રપ્રદેશ

6- બિસ્વા ભૂષણ હરિચંદન, રાજ્યપાલ, છત્તીસગઢ

7- અનુસુયા ઉઇકે, રાજ્યપાલ, મણિપુર

8- એલ. ગણેશન, રાજ્યપાલ, નાગાલેન્ડ

9- ફાગુ ચૌહાણ, રાજ્યપાલ, મેઘાલય

10- સીપી રાધાકૃષ્ણન, રાજ્યપાલ, ઝારખંડ 

11-લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, રાજ્યપાલ, સિક્કિમ  

12- બ્રિગેડિયર (નિવૃત્ત) બીડી મિશ્રા, લેફ્ટનન્ટ ગવર્નર, લદ્દાખ 

13-લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પારનાઈક, રાજ્યપાલ, અરુણાચલ પ્રદેશ



મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ આપ્યું રાજીનામું 


કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએનું રાજીનામું સ્વીકારી લીધું છે. નોંધપાત્ર વાત એ છે કે ભગતસિંહ કોશ્યારી ત્યાં સતત વિવાદોમાં ફસાયા હતા. હાલમાં જ એક કાર્યક્રમમાં આપેલા તેમના નિવેદનને લઈને ઘણો હોબાળો થયો હતો. રાજ્યના તમામ રાજકીય પક્ષોએ તેમની આકરી ટીકા કરી હતી. આ પછી, આ પદ પર ચાલુ રાખવાની અનિચ્છા દર્શાવવાની સાથે, તેમણે કેન્દ્ર સરકારને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. જેને કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું અને તેમને પદ પરથી મુક્ત કર્યા હતા.


જસ્ટિસ અબ્દુલ નઝીર બન્યા આંધ્ર પ્રદેશના રાજ્યપાલ


જસ્ટિસ અબ્દુલ એસ નઝીર ગયા મહિને સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. વિદાય વખતે, નોટબંધીને યોગ્ય ઠેરવવાનો ચુકાદો આપ્યો કર્યો, અયોધ્યા કેસનો નિર્ણય કરનાર બેંચમાં હતા. આજે રાષ્ટ્રપતિએ તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે.


બીડી મિશ્રા લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાધા કૃષ્ણ માથુરનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમના સ્થાને, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ, બ્રિગેડિયર (ડૉ.) બી.ડી. મિશ્રા (નિવૃત્ત)ને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.