વડોદરામાં સગર્ભાને ગાયે અડફેટે લેતા શિશુનું ગર્ભમાં જ મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 14:51:58

રાજ્યના તમામ મોટા શહેરોમાં લોકો રખડતા ઢોરોના ત્રાસથી પરેશાન છે. માર્ગો પર રખડતા ઢોરના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં એક સગર્ભાને ગાયે અડફેટે લેતા બાળકનું ગર્ભમાં જ મોત નીપજ્યું છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



બાળકીને બચાવવા જતા પોતાનું શિશુ ગુમાવ્યું


વડોદરાના સલાટવાડા વિસ્તારમાં એક નાની બાળકીને ગાય મારતી હતી. આ દ્રશ્ય જોઈ બાળકીને બચાવવા દોડી ગયેલી સગર્ભા મનીષાબેનને ગાયે શિંગડે ચડાવી ફંગોળી હતી. આ હુમલામાં મહિલાને પેટ તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં શિશુનું ગર્ભમાં જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના બાદ મહિલાનો પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે.




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.