વડનગર ખાતે યોજાઈ હીરાબા માટે પ્રાર્થના સભા


  • Published By :
  • Published Date : 2023-01-01 10:05:57

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું 30 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. વહેલી સવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. માતાના અંતિમ દર્શન કરવા તેમજ અંતિમ ક્રિયા કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. ગાંધીનગર ખાતે હિરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં વડાપ્રધાન મોદીએ તેમને મુખાગ્નિ આપી હતી. ત્યારે વડનગર ખાતે હીરાબા માટે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું છે.

 

વડાપ્રધાન મોદીએ માતાના કર્યા હતા અંતિમ સંસ્કાર 

100 વર્ષની વયે વડાપ્રધાન મોદીની માતા હીરાબાએ દુનિયાથી વિદાય લીધી હતી. તબિયત બગડવાને કારણે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એડમિટ કરાતા પીએમ મોદી તેમની ખબરઅંતર પૂછવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. થોડા સમય રોકાઈ તેઓ દિલ્હી પરત ફરી ગયા હતા. પરંતુ થોડા દિવસ બાદ હીરાબાના નિધનના સમય સામે આવ્યા. પીએમ મોદીએ આ અંગેની માહિતી આપી હતી. માતાનું અવસાન થતા ગુજરાત આવી પહોંચ્યા હતા અને માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.


વડનગર ખાતે રખાઈ પ્રાર્થના સભા

હીરાબાનું અવસાન થતા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. અનેક નેતાઓએ તેમના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ પણ હીરાબા માટે દુખ વ્યક્ત કર્યું હતું. વડનગર ખાતે હીરાબાની પ્રાર્થના સભા આયોજીત કરવામાં આવી છે.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.