દેશમાં થતા લવ જેહાદ મુદ્દે પ્રવીણ તોગડિયાએ આપ્યું નિવેદન, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-07-18 13:10:40

ઘણા સમયથી લવ જેહાજની વાતો થઈ રહી છે. હિંદુ છોકરીઓ મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરે તો તેને લવ જેહાદ કહેવાય પરંતુ જો મુસ્લિમ મહિલાઓ હિંદુ ધર્મનો સ્વીકાર કરે તો? વડોદરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ જિલ્લા પ્રાંતિય બેઠક મળી હતી. તેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપતા પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું છે. 


પ્રવીણ તોડગિયાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન!

પોતાના નિવેદનમાં પ્રવીણ તોગડિયા કહ્યું હતું કે મારી પાસે એવી માહિતી છે કે, ભારતમાં પણ કરોડ મુસ્લિમ સ્ત્રીઓ હિન્દુ ઘરોમાં આવવાની તૈયારી કરી રહી છે અનેક જગ્યાએથી એવી માહિતી મળી રહી છે. એટલે અત્યાર સુધી લવ જેહાદ હતું અને હવે એન્ટી લવ જેહાદ. પાકિસ્તાનમાંથી આવે તો વડોદરામાંથી કેમ ન આવે? અમદાવાદમાંથી કેમ ન આવે? સાવધાન હવે એન્ટી લવ જેહાદનું પૂર આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં પૂર ચાલી રહ્યું છે. હવે દેશમાં એન્ટી લવ જેહાદ પૂર ઉભુ થયું છે. 


સરકાર સમક્ષ મૂકી ચાર માગણીઓ! 

આ બેઠકમાં સરકાર સમક્ષ અનેક માંગણીઓ મૂકવામાં આવી છે. જો તેમના માંગણીની વાત કરીઓ તો તેમની 4 માંગણીઓ છે. પહેલી માગણી એ છે કે  કેન્દ્ર સરકાર મુસ્લિમોની વધી રહેલી વસ્તી રોકવા માટે વસ્તી વધારાનો કાયદો કરે, એન્ટી લવ જેહાદ કાયદો કરે, ધર્માંતરણ વિરુદ્ધ કાયદો કરે અને 3 કરોડ બાંગ્લાદેશીઓને હટાવે. 

ડો.ભરત કાનાબારે આપી પ્રતિક્રિયા

આ મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયા પણ આવી રહી છે ડો.ભરત કાનાબારે ટ્વીટમાં પહેલા જે પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું તે લખ્યું અને અને નીચે લખ્યું એક કરોડ મુસ્લિમ સ્ત્રીઓ ભેગી થઇ આવું એક સરખું વિચારીને આવી જેહાદ કરે ?

આવી ઉટપટાંગ વાતો લોકોના માથા પર મારવાનો અર્થ શું ? 

દેશમાં આજકાલ “Free for all” જેવો માહોલ છે. 

જેને જે મનમાં આવે તે બોલે છે અને જ્ઞાતિ - જાતિ અને ધર્મો વચ્ચે ઝેર ફેલાવે છે. 

કમનસીબી એ છે કે આવી વાતો કરનારને કોઈ રુક જાવ કહેનાર નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.