શું પ્રતીક અને ઝુબેરને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે? દાવેદારોની રેસમાં અગ્રેસર છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 20:44:51

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે નોર્વેની રાજધાની ઓસ્લોમાં કરવામાં આવશે. રોઇટર્સના સર્વે અનુસાર, આ વર્ષે જે દાવેદારોના નામ સૌથી ટોચ પર ચાલી રહ્યા છે તેમાં બે ભારતીય યુવાનો પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેરનો સમાવેશ થાય છે. ભારતના પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO),મ્યાનમારની રાષ્ટ્રીય એકતા સરકાર, બેલારુસના વિપક્ષી નેતા સ્વેત્લાનાનો પણ સમાવેશ થાય  છે. નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની પસંદગી નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા કરવામાં આવશે. આ પાંચેય સભ્યોની નિમણૂક નોર્વેની સંસદ દ્વારા કરવામાં આવી છે. 


કોણ છે પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેર?


પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેર ભારતની ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ Alt Newsના સ્થાપક છે. ટાઈમ મેગેઝિનનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ફેક્ટ-ચેકર્સ પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાના દાવેદારોમાં સામેલ છે. પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર Alt News નામની વેબસાઇટ ચલાવે છે, જે સોશિયલ મીડિયા પર ફેલાતા કથિત ફેક ન્યૂઝની હકીકત તપાસે છે. ટાઈમ મેગેઝિન અનુસાર, ફેક્ટ ચેક વેબસાઈટ Alt Newsના સહ-સ્થાપક, પ્રતિક અને ઝુબેર નોમિનેશનના આધારે નોબેલ પુરષ્કાર જીતવાના દાવેદારોમાં છે, જે નોર્વેના સંસદસભ્યો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ઝુબેરની ધરપકડના સમગ્ર વિશ્વમાં તીવ્ર પડઘા પડ્યા હતા, જેનો અનેક સંગઠનોએ વિરોધ કર્યો હતો.


શું કહ્યું પ્રતિક સિંહાએ?


Alt Newsના સ્થાપક સહસ્થાપક પ્રતીક સિંહા સાથે જ્યારે જમાવટ મીડિયાએ વાત કરી તો તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. જો કે તેમણે ખુબ જ નમ્રતા સાથે કહ્યું કે નોબેલ પીસ માટે અન્ય મજબુત દાવેદારો પણ છે અને ટાઈમ મેગેઝિનનના રિપોર્ટમાં જ અમારા અંગે દાવો કરવામાં આવ્યો છે. જો કે શુક્રવારે જ્યારે નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે જ ખરેખર કોને ઈનામ મળ્યું તે સ્પષ્ટ થઈ જશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.