શક્તિપીઠ અંબાજીમાં હવેથી મોહનથાળની જગ્યાએ અપાશે ચિક્કીનો પ્રસાદ, મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા ભાજપના પ્રવક્તાએ કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-03-04 12:11:26

શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળ ત્યાંની ઓળખ બની ગયું છે. મંદિરમાં અપાતો મોહનથાળ જગ વિખ્યાત છે. ત્યારે એકાએક મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાતા માઈભક્તોમાં નારાજગી વ્યાપી ઉઠી છે. શુક્રવાર બપોર સુધી ચાલે એટલો જ પ્રસાદ મંદિરમાં હતો ઉપરાંત પ્રસાદ માટેનો નવો ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો. પ્રસાદના રૂપમાં ચિક્કી આપવામાં આવી રહી છે. આ વાતની માહિતી મળતા જ માઈભક્તોમાં તેમજ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રસાદને લઈ ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દેવેએ પણ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માગ કરી છે. તે ઉપરાંત અનેક સંગઠનો દ્વારા ટ્રસ્ટને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. 


ચીકીનો પ્રસાદ મળતા માઈભક્તોએ દર્શાવી નારાજગી 

જેમ ડાકોરમાં મળતો લાડુનો પ્રસાદ ડાકોરની ઓળખ છે તેમ શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ અંબાજીની ઓળખ છે. પરંતુ મોહનથાળ પ્રસાદનું વિતરણ બંધ કરવામાં આવશે તેવી માહિતી સામે આવતા માઈભક્તોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. શુક્રવાર બપોર સુધી જ ચાલે તેઓ પ્રસાદ ઉપલબ્ધ હતો. પ્રસાદ પૂરો થતા પ્રસાદીનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે પ્રસાદી કેન્દ્રો પર એકઠા થયેલા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર મોહનથાળની બદલીમાં ચીકીનો પ્રસાદ આપવામાં આવશે તેવી વાત સામે આવી છે. 

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ પ્રસાદ અંગે કર્યું ટ્વીટ               

મોહનથાળનો પ્રસાદ ન મળતા માઈભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. વહીવટી તંત્ર સામે ભક્તો આક્રોશ ઠાલવી રહ્યા હતા. ન માત્ર માઈભક્તો પરંતુ સ્થાનિકો દ્વારા પણ આ વાતને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ તેમજ માઈભક્તોએ મોહનથાળને લઈને કરવામાં આવેલા નિર્ણયની ટીકા કરી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ આ વાતને લઈ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે એક બ્રાહ્મણ તરીકે મારી અંગત લાગણી છે કે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવો જોઈએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ. તે ઉપરાંત ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓએ મૌખીક રીતે વિરોધ નોંધાવ્યો હતો.    


ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિવિધ સંગઠનોએ આપી 

આ મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે માત્ર સ્થાનિક કક્ષાએ જ માતાજીના ભક્તો નથી વિશ્વભરમાં માતાજીના ભક્તો છે અને નવરાત્રી, પૂનમ દરમિયાન દર્શનાર્થે આવતાં ભક્તો ઉપવાસ દરમિયાન ચાચરચોકમાં બેસીને ગ્રહણ કરી શકે અને વિદેશમાં પણ પ્રસાદ મોકલાવી શકાય તેવા પ્રસાદની માગ હતી. આથી લાંબો સમય સાચવી શકાય તેવા પ્રસાદ તરીકે ચીકીનો પ્રસાદ આપવામાં આવે છે. સોમનાથમાં પણ ચીકીનો પ્રસાદ મળે છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં મોહનથાળ પ્રસાદને ફરી શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો થોડા સમયમાં જ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિવિધ સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.     




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!