AAP-BJPની હિંસક લડાઈ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાએ AAPની ઝાટકણી કાઢી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:58:53

અમદાવાદના ગોમતીપુરના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર આપના કાર્યકર્તાએ હુમલો કર્યાના આક્ષેપ છે. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં ભાજપના કાર્યકર્તા પવન તોમરની મુલાકાત લીધી હતી. 


પ્રદીપસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર

આપના કાર્યકર્તાઓએ હુમલો કર્યા બાદ પ્રદીપસિંહ વાઘેલાએ આપ પર શાબ્દીક હુમલો કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દેશવિરોધી કામ કરી રહી છે. ભાજપની કામગીરીથી આમ આદમી પાર્ટીને મરચા લાગે છે. 


અરવિંદ કેજરીવાલને પ્રદીપસિંહ વાઘેલાની ટકોર 

પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નક્સલવાદનું બદલાયેલું સ્વરૂપ એટલે અરવિંદ કેજરીવાલ. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નક્સલવાદી કામગીરી કરે છે. અરવિંદ કેજરીવાલ દેશને તોડવા માટે વિદેશી તાકતની મદદ લે છે. અરવિંદ કેજરીવાલને ગુજરાતને પશ્ચિમ બંગાળ બનાવવું છે. 


સમગ્ર બાબતો વચ્ચે મહત્વની બાબત એ સામે આવી રહી છે ગુજરાતની રાજનીતિ બદલાઈ રહી છે. શાબ્દીક આક્ષેપ-પ્રતિઆક્ષેપ તો હજુ સુધી ઠીક હતાં પરંતુ હવે જેણે દુનિયાને સત્યાગ્રહ અને અહિંસાના પાઠ ભણાવ્યા તેવા ગાંધીના ગુજરાતમાં રાજનીતિ હિંસક સ્વરૂપ લઈ રહી છે. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ પર હિંસક પ્રહાર કર્યા હતા. વળી હિંસાનો જવાબ હિંસાથી આપવા ભાજપના કાર્યકર્તાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી પહેલાના સમયમાં આવી હિંસક રાજનીતિમાં કોંગ્રેસ ક્યાં છે તે હજુ કોઈને નથી ખબર. આ સમયે ત્રીપાંખિયો જંગ છે, અગાઉ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂંટણીઓ લડાતી હતી. રાજનીતિમાં આક્ષેપ પ્રતિઆક્ષોપે થતાં હતા પરંતુ હવે આ રાજનીતિ હિંસા સુધી પહોંચી ગઈ છે તે ભવિષ્યની રાજનીતિમાં એક નવી પગદંડી બનાવી રહી છે



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.