AAP-BJPની હિંસક લડાઈ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાએ AAPની ઝાટકણી કાઢી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:58:53

અમદાવાદના ગોમતીપુરના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર આપના કાર્યકર્તાએ હુમલો કર્યાના આક્ષેપ છે. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં ભાજપના કાર્યકર્તા પવન તોમરની મુલાકાત લીધી હતી. 


પ્રદીપસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર

આપના કાર્યકર્તાઓએ હુમલો કર્યા બાદ પ્રદીપસિંહ વાઘેલાએ આપ પર શાબ્દીક હુમલો કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દેશવિરોધી કામ કરી રહી છે. ભાજપની કામગીરીથી આમ આદમી પાર્ટીને મરચા લાગે છે. 


અરવિંદ કેજરીવાલને પ્રદીપસિંહ વાઘેલાની ટકોર 

પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નક્સલવાદનું બદલાયેલું સ્વરૂપ એટલે અરવિંદ કેજરીવાલ. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નક્સલવાદી કામગીરી કરે છે. અરવિંદ કેજરીવાલ દેશને તોડવા માટે વિદેશી તાકતની મદદ લે છે. અરવિંદ કેજરીવાલને ગુજરાતને પશ્ચિમ બંગાળ બનાવવું છે. 


સમગ્ર બાબતો વચ્ચે મહત્વની બાબત એ સામે આવી રહી છે ગુજરાતની રાજનીતિ બદલાઈ રહી છે. શાબ્દીક આક્ષેપ-પ્રતિઆક્ષેપ તો હજુ સુધી ઠીક હતાં પરંતુ હવે જેણે દુનિયાને સત્યાગ્રહ અને અહિંસાના પાઠ ભણાવ્યા તેવા ગાંધીના ગુજરાતમાં રાજનીતિ હિંસક સ્વરૂપ લઈ રહી છે. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ પર હિંસક પ્રહાર કર્યા હતા. વળી હિંસાનો જવાબ હિંસાથી આપવા ભાજપના કાર્યકર્તાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી પહેલાના સમયમાં આવી હિંસક રાજનીતિમાં કોંગ્રેસ ક્યાં છે તે હજુ કોઈને નથી ખબર. આ સમયે ત્રીપાંખિયો જંગ છે, અગાઉ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂંટણીઓ લડાતી હતી. રાજનીતિમાં આક્ષેપ પ્રતિઆક્ષોપે થતાં હતા પરંતુ હવે આ રાજનીતિ હિંસા સુધી પહોંચી ગઈ છે તે ભવિષ્યની રાજનીતિમાં એક નવી પગદંડી બનાવી રહી છે



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.