AAP-BJPની હિંસક લડાઈ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાએ AAPની ઝાટકણી કાઢી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:58:53

અમદાવાદના ગોમતીપુરના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર આપના કાર્યકર્તાએ હુમલો કર્યાના આક્ષેપ છે. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં ભાજપના કાર્યકર્તા પવન તોમરની મુલાકાત લીધી હતી. 


પ્રદીપસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર

આપના કાર્યકર્તાઓએ હુમલો કર્યા બાદ પ્રદીપસિંહ વાઘેલાએ આપ પર શાબ્દીક હુમલો કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દેશવિરોધી કામ કરી રહી છે. ભાજપની કામગીરીથી આમ આદમી પાર્ટીને મરચા લાગે છે. 


અરવિંદ કેજરીવાલને પ્રદીપસિંહ વાઘેલાની ટકોર 

પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નક્સલવાદનું બદલાયેલું સ્વરૂપ એટલે અરવિંદ કેજરીવાલ. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નક્સલવાદી કામગીરી કરે છે. અરવિંદ કેજરીવાલ દેશને તોડવા માટે વિદેશી તાકતની મદદ લે છે. અરવિંદ કેજરીવાલને ગુજરાતને પશ્ચિમ બંગાળ બનાવવું છે. 


સમગ્ર બાબતો વચ્ચે મહત્વની બાબત એ સામે આવી રહી છે ગુજરાતની રાજનીતિ બદલાઈ રહી છે. શાબ્દીક આક્ષેપ-પ્રતિઆક્ષેપ તો હજુ સુધી ઠીક હતાં પરંતુ હવે જેણે દુનિયાને સત્યાગ્રહ અને અહિંસાના પાઠ ભણાવ્યા તેવા ગાંધીના ગુજરાતમાં રાજનીતિ હિંસક સ્વરૂપ લઈ રહી છે. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ પર હિંસક પ્રહાર કર્યા હતા. વળી હિંસાનો જવાબ હિંસાથી આપવા ભાજપના કાર્યકર્તાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી પહેલાના સમયમાં આવી હિંસક રાજનીતિમાં કોંગ્રેસ ક્યાં છે તે હજુ કોઈને નથી ખબર. આ સમયે ત્રીપાંખિયો જંગ છે, અગાઉ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂંટણીઓ લડાતી હતી. રાજનીતિમાં આક્ષેપ પ્રતિઆક્ષોપે થતાં હતા પરંતુ હવે આ રાજનીતિ હિંસા સુધી પહોંચી ગઈ છે તે ભવિષ્યની રાજનીતિમાં એક નવી પગદંડી બનાવી રહી છે



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.