પ્રભાસની ફિલ્મ 'આદિપુરૂષ'ને લઈ ફરી છેડાયો વિવાદ! આદિપુરુષના ડિરેક્ટરે તિરુપતિ મંદિરમાં કૃતિ સેનને કરી કિસ! યુઝર્સે કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-06-08 14:24:19

આદિપુરૂષ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ રહી છે. ફિલ્મ સાથે વિવાદ જોડાઈ ગયો હોય તેવી રીતે એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. મંગળવારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું તે બાદ ફિલ્મ અભિનેત્રી ક્રિતી સેનન અને નિર્માતા ઓમ રાઉતે વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. પરંતુ તે મંદિરની બહાર નિર્માતાએ પરિસરમાંથી બહાર નીકળતી વખતે ઓમ રાઉતે ક્રિતી સેનના ગાલ પર કિસ કરી ગળે લગાવી હતી. મંદિર પરિસરમાં આવા વર્તનથી ધર્મ ગુરૂઓ તેમજ લોકો નારાજ થયા છે.     


ધર્મગુરૂઓએ દર્શાવી નારાજગી!

16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. મંગળવારે તિરૂપતિમાં ફિલ્મનું અંતિમ રિલીઝ થયું હતું. તે પહેલા પ્રભાસે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. ટ્રેલર રિલીઝ થયા બાદ ક્રિતી સેનન અને ફિલ્મ નિર્માતાઓ વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. ક્રિતી સેનન જ્યારે બહાર આવી રહી હતી તે દરમિયાન ઓમ રાઉતે કૃતિના ગાલ પર ચૂંબન કર્યું હતું. આ વાતનો લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ધર્મગુરૂઓએ વીડિયો સામે આવતા પોતાની નારાજગી દર્શાવી છે. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા પૂજારીએ કહ્યું કે આ નિંદનીય કૃત્ય છે. પતિ પત્ની પણ ત્યાં સાથે નથી જતા. તમારૂં વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે. ભાજપના નેતા દ્વારા પણ આ મામલે પોસ્ટ કરવામાં આવી હતી પરંતુ તે બાદ તેમણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.    


અનેક વખત ફિલ્મ આવી ચૂકી છે વિવાદમાં!

ફિલ્મમાં રામાયણની કહાણી બતાવવામાં આવી છે. રામનું પાત્ર પ્રભાસ નિભાવી રહ્યા છે જ્યારે ક્રિતી સેન સીતાનું પાત્ર ભજવી રહ્યા છે. આદિપુરૂષને લઈ જ્યારથી વાતો શરૂ થઈ હતી ત્યારથી તે વિવાદમાં છેડાઈ ગઈ હતી. ટીઝર જ્યારે રિલીઝ થયું ત્યારે તેમાં ભગવાન રામને મૂછો સાથે દર્શાવ્યા હતા જે બાદ લોકોએ કહ્યું કે ભગવાન રામને મૂછો ન હતી તો ફિલ્મમાં કેમ બતાવવામાં આવી? તે સિવાય એક સિનમાં ભગવાન રામ ચપ્પલ પહેરેલા બતાવ્યા છે. તેની પર પણ વિવાદ થયો હતો. લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે ભગવાન રામ ચપ્પલ નહીં પરંતુ લાકડાના ચપ્પલ પહેરતા હતા. 


વિવાદ બાદ ટીઝરને બદલવામાં આવ્યું! 

મહત્વનું છે કે ગયા વર્ષે દશેરાના અવસર પર ફિલ્મનું ટીઝર લોન્ચ થયું હતું પરંતુ દર્શકોનો રિસ્પોન્સ ખૂબ નબળો મળ્યો હતો. પાત્રોના ખરાબ દેખાવ અને VFXને કારણે ફિલ્મની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. વિવાદ સર્જાયા બાદ નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટ્રેલરમાંથી જે સીનમાં વિવાદ સર્જાય તેવા સીનને હટાવી દેવાયા હતા. ત્યારે હવે ફિલ્મ ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે.  



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.