Porbandar Loksabha Seat પર શરૂ થયો પોસ્ટર વોર! પોસ્ટરમાં લખવામાં આવ્યું - પોરબંદર માગે લોકલ ઉમેદવાર....


  • Published By :
  • Published Date : 2024-03-26 12:57:48

લોકસભા ચૂંટણીને ભલે હજી વાર હોય પરંતુ રાજનીતિ તો હમણાંથી ગરમાવા લાગી છે. રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા અનેક વખત શાબ્દિક પ્રહારો કરવામાં આવશે, કદાચ વિવાદીત નિવેદન પણ આપવામાં આવશે, વિવાદ વધતા તે માફી પણ માગી લેશે વગેરે વગેરે... આ બધું તો ચૂંટણીના સમયે સામાન્ય રીતે જોવા મળતું હોય છે પરંતુ સાથે સાથે પોસ્ટર વોર પણ જોવા મળતો હોય છે. થોડા સમય પહેલા વડોદરામાં આ પોસ્ટર વોર જોવા મળ્યું હતું ત્યારે હવે આ પોસ્ટર વોર પોરબંદર પર જોવા મળી રહ્યું છે.

Poster war started in Saurashtra regarding Lok Sabha elections, Porbandar Lok Sabha won't win imported candidate, who is it.... સૌરાષ્ટ્રમાં પૉસ્ટર વૉર શરૂઃ પોરબંદર લોકસભાને નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ....

પોરબંદરમાં મનસુખ માંડવિયા તેમજ લલિત વસોયા વચ્ચે જંગ 

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ અનેક બેઠકો પર નામ નથી જાહેર કરાયા. પરંતુ જ્યાં માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે ત્યાં હમણાંથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. પોરબંદરમાં કોંગ્રેસે લલિત વસોયાને ટિકીટ આપી છે જ્યારે ભાજપે મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં લખવામાં આવ્યું છે પોરબંદર લોકસભા માગે છે લોકલ ઉમેદવાર... એ કોણ.. પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર.. એ કોણ...


વડોદરા બાદ પોરબંદરમાં લાગ્યા બેનરો! 

મહત્વનું છે કે આની પહેલા પોસ્ટર વોર વડોદરા બેઠક પર જોવા મળ્યું હતું, ભાજપ દ્વારા રંજનબેન ભટ્ટને ટિકીટ આપવામાં આવી હતી જે બાદ તેમના વિરોધમાં પોસ્ટર લાગ્યા હતા. તે પોસ્ટરમાં લખાયું હતું કે મોદી તુજ સે બેર નહીં પર રંજન તેરી ખેર નહી.. ત્યારે પોરબંદરમાં પણ ઉમેદવારોને લઈ પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટર કોણે લગાયા તેની જાણ નથી આ પોસ્ટરને જોતા લાગે કે પોરબંદરમાં પણ પોસ્ટર પોલિટિક્સ શરૂ થઈ ગયું છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.