દિલ્હીના આ વિસ્તારમાં પડ્યો ભૂવો! રસ્તો બેસી જતા લોકોને પડી હાલાકી!


  • Published By :
  • Published Date : 2023-05-03 12:16:13

ચોમાસા દરમિયાન ભૂવા અનેક જગ્યાઓ પર પડતા હોય છે. પરંતુ હવે તો રોડ રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતા સામાનની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આપણને એમ થતું હોય કે રસ્તાઓમાં ભૂવા માત્ર અમદાવાદમાં પડતા હોય છે પરંતુ આ વાત ખોટી છે. દેશના અનેક રાજ્યોમાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે દિલ્હીના એક રસ્તા પર ભૂવો પડ્યો છે. જેને કારણે લોકોને આવન જાવન માટે તકલીફ પડી રહી છે.

દિલ્હીના રસ્તા પર જોવા મળ્યો ભૂવો! 

સારા રોડ રસ્તા હોવા એ પ્રાથમિક જરૂરિયાત છે. રસ્તાઓને દેશની પ્રગતિનો માર્ગ પણ માનવામાં  આવે છે. પરંતુ આજકાલ તો રસ્તાઓ એટલી બિસ્માર હાલતમાં જોવા મળે છે કે તેને જોઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ગુજરાતમાં અનેક વખત રસ્તાઓ પર ભૂવા પડ્યા છે. અમદાવાદમાં પણ અનેક વખત રસ્તાની વચ્ચોવચ ખાડા પડ્યા હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન આવા કિસ્સાઓ સામે આવવા ઘણા સામાન્ય હોય છે. આપણને ઘણી વખત થતું હોય છે કે આવી ઘટના ગુજરાતમાં જ બનતી હોય છે. પરંતુ દિલ્હીથી પણ આવી ઘટના સામે આવી છે. જ્યાં રસ્તા પર ભૂવો પડ્યો છે. દિલ્હીના Khureji khas નજીક રસ્તો ભાંગી પડ્યો છે. 


અમદાવાદના અનેક રસ્તાઓની હાલત બિસ્માર!

રોડ રસ્તાના નિર્માણ દરમિયાન વપરાતા સામાનની ગુણવત્તાને લઈ અનેક વખત સવાલો ઉભા થાય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં નિર્માણ પામેલા રસ્તા પર ખાડા તેમજ ડામર ઉખડેલા દેખાય.અનેક બ્રિજ એવા છે જ્યાં તિરાડો દેખાતી હોય છે અને અમુક તો એવા બ્રિજ છે જેને માત્ર મહિનાઓની અંદર તોડવાની નોબત આવી ગઈ છે. અનેક રસ્તાઓ પર રસ્તા બેસી જતા હોય છે. ભૂવા પડી જતાં હોય છે. ત્યારે દિલ્હીમાં પણ આવી ઘટના સર્જાઈ છે. ભૂવો પડવાને કારણે બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે.         




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!