ગરીબ બાળકોના ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેની સુવર્ણ તક, RTE હેઠળ આજથી ફોર્મ ભરવાના શરૂ


  • Published By :
  • Published Date : 2023-04-10 13:57:11

રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોના ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1 માં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આજથી વર્ષ 2023-24ના વર્ષ માટે આજથી RTEના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વાલીઓ આજથી RTE માટે ફોર્મ ભરી શકશે. 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અમદાવાદની 1500 સીટ સહિત રાજ્યની 9,856 ખાનગી પ્રાથમિક સ્કૂલોની 82,509 જેટલી સીટ પર એડમિશન આપવામાં આવશે. RTE હેઠળ 1 જૂન, 2023ના 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.


આ છે RTE હેઠળ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા


રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશની તારીખની અગાઉથી જ જાહેરાત કરવામાં આવી હતી, જેથી વાલીઓ 1થી 9 એપ્રિલ દરમિયાન પ્રવેશ માટે જરૂરી એવો બાળકના જન્મનો દાખલો, સરનામાનો પુરાવો, આધારકાર્ડ, ફોટો, જાતિનો દાખલો, બેંક એકાઉન્ટની વિગતો સહિતના પુરાવા એકઠા કરી શકે. હવે આજથી 22 એપ્રિલ સુધીમાં ઑનલાઈન ફોર્મ ભરવાનું હશે. જેમાં તમામ અસલી ડૉક્યુમેન્ટના ફોટો અથવા PDF ફૉર્મેટમાં અપલોડ કરવાના રહેશે. જે બાદ ઑનલાઈન ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. તથા 25થી 27 એપ્રિલ દરમિયાન જે અરજીમાં ક્વેરી જણાશે, તો અરજદારને જરૂરી ડૉક્યૂમેન્ટ રજૂ કરવાની તક આપવામાં આવશે અને 25થી 29 એપ્રિલ દરમિયાન આવા ડૉક્યૂમેન્ટ જમા કરાવનારા અરજદારોની અરજીની પુન: તપાસ કરવામાં આવશે. જે બાદ 3 મેથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના હેલ્પલાઇન સેન્ટર પર જવાનું રહેશે.


IT રિટર્નની વિગતો માંગવામાં આવી


RTE હેઠળ પ્રવેશ માટે આ વખતે આવકવેરા રિટર્નની વિગતો માંગવામાં આવી છે. સાથે જ જે વાલીઓ આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તેવા વાલીઓએ સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. પરંતુ જો પ્રવેશ મેળવવા માટે બોગસ દસ્તાવેજ કે ખોટી માહિતી આપી પ્રવેશ મેળવ્યો તો વાલી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


ગેરરીતિ ન થાય તે માટે તંત્ર એલર્ટ


RTE હેઠળ પ્રવેશ માટેની પ્રક્રિયા રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહી છે. જોકે, આ વખતે પ્રવેશ બાબતે તંત્ર દ્વારા કડક વલણ પણ અપનાવવામાં આવ્યું છે. કોઈ પણ વાલી ખોટા દસ્તાવેજ ઉભા કરી પોતાના બાળકનો પ્રવેશ ન મેળવી જાય અને કોઈ ગરીબ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય, તેને લઈને પણ તૈયારી કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય તેને લઈ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારની ગરબડ કરનાર વાલીઓ સામે કાયદેસરના પગલા લેવાઈ શકે છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!