ગુજરાતમાં મતદાનની તારીખો અને લગ્નના મુહૂર્ત ભેગા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 18:03:40


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે મતદાનની તારીખો નજીક લગ્નસરાની જોરદાર સીઝન અને મોટાપાયે લગ્નોના મુહૂર્ત હોવાથી નેતાઑની મૂંઝવણ વધી છે. જોકે નેતાઑના જણાવ્યા મુજબ તેઑ લોકોને સમજાવશે કે, મતદાન  કર્યા બાદ જ લગ્નમાં હાજરી આપવા પહોંચજો. પંડિતોના મતે 2, 4 અને 8 ડિસેમ્બરે રાજ્યમાં લગ્ન માટે ખૂબ મુહૂર્ત છે. જેને લઇને આ સમયગાળા દરમિયાન અસંખ્ય લગ્ન યોજાશે. તો બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું 1 અને 5 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.


22 નવેમ્બર થી લગ્ન સિઝનનો પ્રારંભ 


પંડિતોના મતે 22 નવેમ્બરથી ગુજરાતમાં લગ્નસરાની  સિઝનનો પ્રારંભ થશે. જે કમુર્તા સુધી ચાલશે.  પરંતુ 22 નવેમ્બરથી 16 ડિસેમ્બર વચ્ચે મોટી સંખ્યામાં લગ્નો યોજાશે. તેમાં પણ  2જ, 4 અને 8 ડિસેમ્બરએ શુભ મુહૂર્ત હવાથી ધોમ લગ્નગાળો છે. 25 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્ન માટે  શુભ સમય છે 14 ડિસેમ્બર બાદ એક મહિનો કમુર્તા હશે. 28 નવેમ્બર, 29 અને 2 ડિસેમ્બર, 4 અને 8 ડિસેમ્બર છે.  મહત્વનું છે કે, હાલ કોરોના પ્રતિબંધ ન હોવાથી મહેમાનોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળશે.જેને લઇને આયોજકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.