ફટાકડા પર શરૂ થઈ રાજનીતિ, પાટિલે કોને ગણાવ્યા ધર્મ વિરોધી, વાંચો આ અહેવાલમાં


  • Published By :
  • Published Date : 2022-10-24 10:40:28

દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આપણે ત્યાં દિવાળીની ઉજવણી ફટાકડા ફોડી કરવામાં આવે છે. ફટાકડાને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. જેને કારણે દિલ્હી સરકારે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ આ વાતની રાજનીતિ ગુજરાતમાં થઈ રહી છે. સી.આર પાટિલે દિલ્હી સરકારના આ નિર્ણયને ધર્મ વિરોધી ગણાવ્યો છે. 

First Aid Treatment for Fireworks Burns and Injuries during Diwali, Home  Remedies for Firecrackers Injuries | ParentCircle

સી.આર પાટિલે આપ પર સાધ્યું નિશાન 

હાલ ગુજરાતમાં ચૂંટણી લક્ષી તૈયારીઓ થઈ રહી છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. કોઈને કોઈ વાત પર રાજકીય પાર્ટી એક બીજા પર આક્ષેપ કરતી રહે છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે સી.આર પાટિલે આમ આદમી પાર્ટી તેમજ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની આપ સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે રાજનીતિ ગરમાઈ છે. પોતાના નિવેદનમાં પાટિલે દિલ્હી સરકારના આ નિર્ણયને ધર્મ વિરોધી ગણાવ્યો છે.   

AAP Arvind Kejriwal tweet says cr patil will be removed from bjp president  designation

શું કહ્યું સી.આર.પાટિલે?

પોતાના સંબોધનમાં સી.આર પાટિલે કહ્યું કે મેં સમાચાર વાંચ્યા કે દિલ્હીના મુખ્યમંત્રીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે તેઓ ગુજરાતમાં ચૂંટણી લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પછી તમે કેવી રીતે ફટાકડા ફોડશો? આવા ધર્મ વિરોધી અને ફટાકડાનો વિરોધ કરનારા લોકોને તમે ઓળખો. જે આપણને આપણાં જ તહેવારો ઉજવતા રોકી રહ્યા છે. 

સુરત AAPના આજે કેટલાંક કોર્પોરેટર ભાજપમાં જોડાશે. આજે AAPના છેલ્લા કેટલાક  દિવસથી સંપર્ણ વિહોણા થયેલા કોર્પોરેટર કેસરિયો કરશે.

પાટિલના આ નિવેદન પર આપ શું આપશે પ્રતિક્રિયા?   

ગુજરાતમાં જયારથી આમ આદમી પાર્ટી આવી છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈ તેની ચર્ચાઓ થઈ રહી છે. ક્યારેક અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટરને કારણે તો ક્યારેક ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સામે આવી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રતિઆરોપ વધી રહ્યા છે. આવા પ્રકારના આરોપ-પ્રતિઓરોપને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાતી રહે છે. ત્યારે સી.આર પાટિલના આવા નિવેદન પર આપ શું પ્રતિક્રિયા આપે છે તે આવનાર સમયમાં ખબર પડશે .         



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.