બુટલેગરો પર રાજનીતિ: ભાજપના કથિત પત્રથી રાજનીતિમાં ખળભળાટ


  • Published By :
  • Published Date : 2022-11-09 16:43:11

ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગુજરાત રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે જેમાં કોંગ્રેસે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે ભાજપનો એક કથિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં અમદાવાદ શહેર ભાજપ ચુંટણીમાં બુટલેગરોનો સહારો લેતી હોવાનો મનીષ દોશીએ દાવો કર્યો છે. ભાજપના આ પત્રથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ કથિત પત્ર જાહેર કરી ભાજપ પર આક્ષેપો કર્યા હતા આ પત્રમાં 13માં નંબરના મુદ્દામાં ભાજપ સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી બનાવવા આદેશ કરાયો છે. ચુંટણી વ્યવસ્થા માટે ભાજપના આ પત્રમાં બુટલેગરોઓનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે ભાજપનો આ કથિત પત્ર વાયરલ થઈ રહ્યો છે 



આ કથિત પત્રથી ઊભા થયા સવાલો 

ભાજપના કથિત પત્રમાં કેટલી સત્યતા ?

શું ભાજપ ગુંડાઓ અને બુટલેગરોની ચુંટણીમાં મદદ લે છે ?

અમદાવાદ ભાજપના નેતાઓ પાસે આનો કોઈ જવાબ હશે ?

શું ભાજપને બદનામ કરવા આ આ પત્ર ખોટી રીતે વાયરલ કરાઇ રહ્યો છે ?


આક્ષેપોની રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે પણ આ ચુંટણીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ વચ્ચે ગુજરાતની જનતાના મુદ્દાઓ રાજનેતાઓ ભૂલી ન જાય તો સારું 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.