Mansukh Vasavaના નિવેદનથી ફરી ગરમાયનું Bharuch Loksabha Seatનું રાજકારણ! Chaitar Vasava માટે કહ્યું કે ચૈતર વસાવા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-01 15:57:04

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થતી હોય છે... અનેક બેઠકો ચર્ચા માટે જાણીતિ બની ગઈ છે.. એક બેઠક છે બનાસકાંઠા, બીજી છે રાજકોટ અને ત્રીજી બેઠક છે ભરૂચ.. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને રિપીટ કર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.. આ બંને ઉમેદવારો દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચાનો વિષય બનતો હોય છે ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે નિવેદન આપ્યું છે..

ચૈતર વસાવા માટે મનસુખ વસાવાએ કહ્યું કે.... 

ભરૂચ, બનાસકાંઠા તેમજ રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થતી રહે છે... આ લોકસભા બેઠકોની ચર્ચા જેટલી થાય છે તેટલી ચર્ચાઓ બીજી લોકસભા બેઠકોની નથી થતી.. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે.. ત્યારે નર્મદાની એક સભામાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈ નિવેદન આપ્યું છે. ચૈતર વસાવા માટે કહ્યું કે ચૈતર વસાવા ગદ્દાર છે, અને તેનાથી કુતરુ તો શું બિલાડું પણ નથી ડરતુ. કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી છે. 



કોંગ્રેસ માટે મનસુખ વસાવાએ વાત કરી કે... 

કોંગ્રેસ માટે પણ તેમણે વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું છે તમારા બૂથમાં ચૈતર વસાવાના વોટ ના નીકળે તેવું કરજો, નહીં તો તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે..  મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી શકે છે...મહત્વનું છે કે જ્યારે જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી ત્યારે તેમણે મનસુખ વસાવા માટે વાત કરી હતી. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોની જીત થાય છે?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.