કોલેજના નામ પર રાજનીતિ !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 12:12:42

કોંગ્રેસનો કોલેજના નામકરણ મુદ્દે વિરોધ


મણિનગરની એલ જી મેટ  કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેટ કૉલેજ રાખવાનું ગઈ કાલે AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં નિણર્ય લેવાયો. ત્યારે કોગ્રેસ દ્વારા તેનો વિરોધ કરતા કોલેજની બહાર ' સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કોલેજ ' નાં પોસ્ટર લગવવામાં આવ્યા અને હવે કોલેજનાં નામ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે . 


કોલેજનું નામ બદલાવાનું કારણ ?


નરેન્દ્ર મોદી જ્યારે મણિનગરનાં ધારાસભ્ય હતા અને ગૂજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે એલ જી મેટ કોલેજ બનાવી હતી એટલે મેયર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને કાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્યણ લેવામાં અવ્યો . Pm નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસ પર કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવામાં આવશે. સ્ટેડિયમબાદ હવે કોલેજનું નામ પણ નરેન્દ્ર મોદી પર રાખવામાં આવશે 

કેમ કોગ્રેસએ કર્યો વિરોધ ?


એક તરફ પેહલા પીએમ નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી , જવાહરલાલ નહેરુનાં નામે  જો કોઈ યોજના હોય કે મિલકતનું નામ હોય તો તેનો પ્રચંડ વિરોધ કરતા ત્યારે હવે ભાજપ પણ એજ નક્શા કદમ પર ચાલી રહી છે પેહલા સ્ટેડિયમનું નામ અને હવે મેડિકલ કોલેજ નું નામ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પર રાખવામાં આવે છે એટલે હવે કોગ્રેસઆ વાતનો વિરોધ કરી રહી છે . કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતુ કે, અત્યારે જેવી રીતે સ્ટેડિયમનું નામ કરણ કરીને નરેન્દ્ર મોદી કરી દેવાયું હતું. એવી જ રીતે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. શાસકો પોતાની ચાપલુસી કરવાની પરાકાષ્ટાને વટાવી ચૂક્યા છે. અહીં એલ.જી કોલેજમાં જે મહાજનોએ રૂપિયા આપ્યા હતા તેમના નામ દૂર કરીને નરેન્દ્ર મોદીનું નામ આપી દેવાયું છે.


અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.