રાજ્યમાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકશાન પર રાજનીતિ ગરમાઈ! Congress અને AAPએ સરકારને ઘેરી કહ્યું સહાય...


  • Published By :
  • Published Date : 2023-11-29 12:09:04

શિયાળાની શરૂઆત હજી થઈ રહી હતી ત્યારે તો કમોસમી વરસાદનું આગમન થયું. રવિવારે અલગ  અલગ જગ્યાઓ પર માવઠું આવ્યું જેને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ચોમાસાની સિઝનમાં વરસાદ અનિયમિત હતોજેને કારણે ખેડૂતોની દશા ખરાબ થઈ હતી ત્યારે હવે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ બની છે. ગુજરાત સરકારે સર્વે કરાઈને સહાય આપવાની જાહેરાત કરી છે પરંતુ આ બાદ રાજનીતિ ગરમાઈ છે. રાજકીય પાર્ટી દ્વારા આ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે.

રાજ્ય સરકારે સહાય ચૂકવવાની આપી બાંહેધરી  

ગુજરાતને ૨૬ અને ૨૭ તારીખે આવેલા માવઠાએ ઘમરોળી નાખ્યું છે . આમાં સૌથી વધુ હેરાન જગતનો તાત એટલે ખેડૂત થયો છે . કારણ કે અત્યારે પડેલા વરસાદને કારણે રવિ પાકની વાવણીને મોટા પાયે નુકસાન થયું છે. ચણા , જીરું , ઘઉં, તુવેર, વરિયાળી  જેવા પાકોને વ્યાપક પ્રમાણે નુકશાન થયું . ગુજરાત સરકારે આ તમામ નુકશાનનો સર્વે કરાવવાની , સહાયની બાહેંધરી ખેડૂતોને આપી છે. ગુજરાત સરકારે આ તમામ નુકશાનનો સર્વે શરુ કરી દીધો છે ઉપરાંત નુકશાનનનું પૂરતું વળતર આપવાનું વચન આપ્યું છે . આના પર કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 

આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે સહાય મામલે આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસ તરફથી આ મામલે અમિત ચાવડા દ્વારા પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી હતી. અમિત ચાવડાએ કહ્યું કે દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજોય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. તો આમ આદમી પાર્ટીના સાગર રબારીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં કોઈપણ ઘટના ઘટે એટલે સરકાર સર્વે અને સહાયની વાત કરી દે છે પણ ક્યારેય જાહેર નથી કરતી કે કઈ સરકારી યોજના અંતર્ગત સહાય ચુકવાશે. અમારી માંગ છે કે માવઠાના કારણે જે લોકોને નુકસાન થયું છે તેમને 'મુખ્યમંત્રી કિસાન સહાય 'યોજના અંતર્ગત સહાય આપવામાં આવે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!