રાજ્યમાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકશાન પર રાજનીતિ ગરમાઈ! Congress અને AAPએ સરકારને ઘેરી કહ્યું સહાય...


  • Published By :
  • Published Date : 2023-11-29 12:09:04

શિયાળાની શરૂઆત હજી થઈ રહી હતી ત્યારે તો કમોસમી વરસાદનું આગમન થયું. રવિવારે અલગ  અલગ જગ્યાઓ પર માવઠું આવ્યું જેને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ચોમાસાની સિઝનમાં વરસાદ અનિયમિત હતોજેને કારણે ખેડૂતોની દશા ખરાબ થઈ હતી ત્યારે હવે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ બની છે. ગુજરાત સરકારે સર્વે કરાઈને સહાય આપવાની જાહેરાત કરી છે પરંતુ આ બાદ રાજનીતિ ગરમાઈ છે. રાજકીય પાર્ટી દ્વારા આ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે.

રાજ્ય સરકારે સહાય ચૂકવવાની આપી બાંહેધરી  

ગુજરાતને ૨૬ અને ૨૭ તારીખે આવેલા માવઠાએ ઘમરોળી નાખ્યું છે . આમાં સૌથી વધુ હેરાન જગતનો તાત એટલે ખેડૂત થયો છે . કારણ કે અત્યારે પડેલા વરસાદને કારણે રવિ પાકની વાવણીને મોટા પાયે નુકસાન થયું છે. ચણા , જીરું , ઘઉં, તુવેર, વરિયાળી  જેવા પાકોને વ્યાપક પ્રમાણે નુકશાન થયું . ગુજરાત સરકારે આ તમામ નુકશાનનો સર્વે કરાવવાની , સહાયની બાહેંધરી ખેડૂતોને આપી છે. ગુજરાત સરકારે આ તમામ નુકશાનનો સર્વે શરુ કરી દીધો છે ઉપરાંત નુકશાનનનું પૂરતું વળતર આપવાનું વચન આપ્યું છે . આના પર કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 

આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે સહાય મામલે આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસ તરફથી આ મામલે અમિત ચાવડા દ્વારા પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી હતી. અમિત ચાવડાએ કહ્યું કે દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજોય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. તો આમ આદમી પાર્ટીના સાગર રબારીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં કોઈપણ ઘટના ઘટે એટલે સરકાર સર્વે અને સહાયની વાત કરી દે છે પણ ક્યારેય જાહેર નથી કરતી કે કઈ સરકારી યોજના અંતર્ગત સહાય ચુકવાશે. અમારી માંગ છે કે માવઠાના કારણે જે લોકોને નુકસાન થયું છે તેમને 'મુખ્યમંત્રી કિસાન સહાય 'યોજના અંતર્ગત સહાય આપવામાં આવે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.