ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ગરમાયું રાજકારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:44:06

વિધાનસભા ચૂંટણી નજીક આવતા દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા રેલી કરી રહ્યા છે. ગુજરાતમાં આંદોલનનો ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીની સાથે સાથે આંદોનલમાં ખેડૂતો પણ જોડાયા છે. ચાલી રહેલા આંદોલનો વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે, ગુજરાતના ખેડૂતો ખુશ છે. પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે ખેડૂત આંદોલન કરી રહ્યા છે અને તમે જૂઠ્ઠુ ફેલાવો છો.

સી.આર.પાટીલનો આપ પર પ્રહાર

એક તરફ ગુજરાતમાં અનેક કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. સરકારીથી નારાજ થઈ પોતાની પડતર માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. અનેક માગણીઓને લઈ ખેડૂતો પણ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે ચૂંટણી પ્રચાર માટે ગયેલા સી.આર.પાટીલે આપ અને અરવિંદ કેજરીવાલ માટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે, ગુજરાતના ખેડૂતો ખુશ છે.

cr patil | Indian Cooperative

ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

ઈસુદાન ગઢવીએ પાટીલને જવાબ આપતા કહ્યું કે ક્યા આધારે તમે કહો છો ગુજરાતના ખેડૂતો ખુશ છે. ખેડૂતો દેવામાં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને તમે જુઠ્ઠુ ફેલાવો છો. અરવિંદ કેજરીવાલ પર કરાયેલી ટિપ્પણી પર જવાબ આપતા કહ્યું કે અમે દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફી આપી છે અને ગુજરાતમાં વીજળી આપીશું. આમાં ક્યાં ગેરમાર્ગે દોરવાની વાત આવી.

ભાજપ અને આપ વચ્ચે ચાલતું વાક્યુદ્ધ

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. ભાજપ અને આપ વચ્ચે અનેક વખત આરોપ-પ્રતિઆરોપો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ હજી સુધી જોર-શોરથી પ્રચાર કરવા નથી ઉતરી એટલે ભાજપ અને આપ વચ્ચે જ વાક્યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પણ ગામ્ય વિસ્તારોમાં પ્રચાર કરવા ઉતરશે ત્યારે તે પણ આરોપ પ્રતિઆરોપની રાજનીતિ કરવામાં લાગી જશે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.