રાહુલ ગાંધીની લંડનની સ્પીચ પર ભારતમાં ગરમાતું રાજકારણ, ભાજપના સાંસદે સસ્પેન્ડ કરવા સ્પીકરને રજૂઆત, કમિટી રચવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-03-17 11:39:59

દેશની સંસદમાં અનેક મહત્વપૂર્ણ વિષયોને લઈ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ સત્રમાં રાહુલ ગાંધીના ભાષણને લઈ હોબાળો થતાં સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ અદાણી મુદ્દાને લઈ આક્રામક દેખાઈ રહી છે. સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  ત્યારે લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ બીજેપીના નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને પત્ર લખી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે.

સંસદમાં બોલવા રાહુલે માગ્યો હતો સમય  

બજેટ સત્રના બીજા તબક્કાનો આજે પાંચમો દિવસ છે. પરંતુ જ્યારથી સંસદની કાર્યવાહી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ મુદ્દાને લઈ હોબાળો થતા કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. એક તરફ જ્યાં ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ અડગ છે તો બીજી તરફ કોંગ્રેસ પણ અદાણી મુદ્દાને લઈ તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. હોબાળો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય પણ માગ્યો પરંતુ સદનની કાર્યવાહી શરૂ થઈ અને માત્ર મિનિટોની અંદર જ સ્થગિત કરી દેવાઈ હતી. 


રાહુલ ગાંધી વિરૂદ્ધ પગલા લેવા સ્પીકરને કરી રજૂઆત 

તે બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે હું સાંસદ છું હું સંસદમાં બોલીશ. તે સિવાય પણ અનેક મુદ્દાઓને લઈ તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે બીજેપીના નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને લેખિત રજૂઆત કરી છે અને રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે. ઉપરાંત તે પણ કહ્યું કે રાહુલ ગાંધીએ યુરોપ અને અમેરિકામાં પોતાના ભાષણોથી સંસદ અને દેશની ગરીમાને ઠેસ પહોંચાડી છે. એટલે તેમને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.  


શું આજે પણ હોબાળાને કારણે કાર્યવાહી સ્થગિત કરાશે?

મહત્વનું છે કે સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી કોઈને કોઈ મુદ્દે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી પણ ગઈ કાલે સંસદ પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય માગ્યો હતો. પરંતુ અમુક મિનિટોની અંદર જ સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને લંડનમાં આપેલા ભાષણ અંગે ખુલાસો સંસદમાં કરશે તેવી વાત પણ કહી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે શું સંસદમાં આજે કાર્યવાહી થશે કે આજે પણ રોજની જેમ હોબાળો થતા સ્થગિત કરવામાં આવશે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.